News Continuous Bureau | Mumbai અમેરિકન કંપની હિંડનબર્ગના એક રિસર્ચ અહેવાલે ભારતીય શેરબજાર અને અદાણી ગ્રૂપની હાલત ખરાબ કરી દીધી છે. એક રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટો કડાકો બોલાયો અને તેના પરિણામે ગૌતમ અદાણીને ( Gautam Adani ) સંપત્તિમાં જંગી ધોવાણ થયું. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ફોર્બ્સની ધી રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ ( Forbes billionaires list ) અનુસાર ભારતીય ધનાઢ્ય ગૌતમ અદાણીની સંપત્તિમાં ( net worth ) 22.6 અબજ ડોલરથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌત્તમ અદાણી ત્રીજા સ્થાને ઉતરીને 7માં સ્થાને આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા...
વેબ-સ્ટોરી
ટૂંકમાં સમાચાર

News Continuous Bureau | Mumbai બ્રિટિશ કાળના ગોખલે બ્રિજના ( Gokhale bridge ) છ ગર્ડર ડી-લોન્ચ કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા રવિવાર, સોમવાર અને મંગળવારની રાત્રે હાર્બર લાઇન પર પાવર બ્લોક ( Special traffic block ) લેવામાં આવશે. આ પાવર બ્લોક રવિવાર 29 જાન્યુઆરી, સોમવાર, મંગળવાર 30 અને 31 અને 1 ફેબ્રુઆરીએ રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, બાંદ્રાથી ગોરેગાંવ સુધીના અપ અને ડાઉન રૂટ પરની ટ્રિપ્સ રદ કરવામાં આવી છે. પ્રશાસને આ મુસાફરોને પડનારી અસુવિધા માટે માફી માંગી છે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મુસાફરોને રેલવે પ્રશાસનને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચો: ...

News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્ર બોર્ડની ધો.૧૨ની માર્ચ-એપ્રિલ ૨૦૨૩ની પરીક્ષાની હૉલટિકીટ આજથી વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવાઈ છે. કોલેજો એ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરી પ્રેક્ટિકલ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓને આપવાની રહેશે. હોલ ટિકીટ્સ આપતી વખતે સ્કૂલોએ વિદ્યાર્થી પાસેથી કોઈ અલગ ફીની રકમ વસુલવાની રહેશે નહિ. મહત્વનું છે કે વિદ્યાર્થીઓને આ હૉલ ટિકીટને આધારે જ બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે. આથી વિદ્યાર્થીઓએ હૉલટિકીટ્સનું જીવપૂર્વક જતન કરવું જરુરી છે. આ સમાચાર પણ વાંચો: મૂળાની આડઅસરઃ જો તમને પણ આ રોગ છે, તો તરત જ મૂળાથી દૂર રહો, નહીં તો હોસ્પિટલનું બિલ ચૂકવતા જ રહેશો!

News Continuous Bureau | Mumbai ઈતિહાસમાં પહેલીવાર અંડર 19 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. સાઉથ આફ્રીકાની ધરતી પર રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય અંડર 19 મહિલા ટીમ ફાઈનલમાં પહોંચી છે. પ્રથમ સેમિ ફાઈનલ મેચમાં જ ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને આઠ વિકેટે હરાવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ પાર્શ્વી ચોપરાએ લીધી હતી. આ સાથે જ વાઇસ કેપ્ટન શ્વેતા સેહરાવતે અણનમ 61 રન બનાવ્યા હતા. હવે રવિવારે એટલે કે આવતીકાલે ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ મહિલા અંડર-19 વર્લ્ડ ટાઈટલ માટે લડશે. આ સમાચાર પણ વાંચો: મૂળાની આડઅસરઃ જો તમને...

News Continuous Bureau | Mumbai ચારધામ યાત્રા માટે ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ ધામો ખોલવાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રીના દ્વાર 22 એપ્રિલે ખોલવામાં આવશે. સાથે જ આ વર્ષે બદ્રીનાથ ધામના દરવાજા 27 એપ્રિલે સવારે 7:10 વાગ્યે ખોલવામાં આવશે. એટલે કે આ વર્ષે ચારધામ યાત્રા 22મી એપ્રિલથી શરૂ થશે. શાળા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનું આધાર કાર્ડ ફરજિયાત, મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા

News Continuous Bureau | Mumbai નાસિકના માલેગાંવના ભાજપના નેતા, અદ્વય હિરે પાટીલ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં જોડાયા છે. શિવસેના ભવનમાં તેમણે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. આ અવસરે ઉદ્ધવ ઠાકરેએ તેમના હાથ પર શિવબંધન બાંધ્યું અને પછી શાલ ઓઢાડી તેમનું સ્વાગત કર્યું. અદ્વય હિરે પાટીલે કહ્યું કે મેં ક્યારેય ભાજપ પાસેથી કોઈ પદ માંગ્યું નથી, પરંતુ હંમેશા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે. જ્યારે ભાજપે ખેડૂતોને કોઈપણ રીતે મદદ ન કરી ત્યારે મેં ઉદ્ધવ ઠાકરે અને શિવસેના સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું. મહત્વનું છે કે અદ્વય હિરે પાટીલના પરિવારનો ઉત્તર મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો પ્રભાવ...

News Continuous Bureau | Mumbai ગુજરાતમાં પંચાયત સેવા મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા યોજનાર છે. આ પરિક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રના સ્થળોએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો ફરમાવવામાં આવ્યા છે. સાથે સરઘસ અથવા રેલી કાઢવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાને પાત્ર થશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પરીક્ષાના પેપરો ફૂટ્યા હોવાથી સરકાર દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા છે આ સમાચાર પણ વાંચો: સરકારી સ્કીમ / પોસ્ટ...

News Continuous Bureau | Mumbai મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગંભીર રીતે બીમાર પડી ગઈ છે. તાત્કાલિક ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં લઈ જવાયેલી માદા ચિત્તાની ભોપાલથી આવેલા પશુ ડોક્ટરોએ તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તેની કિડનીમાં ઇન્ફેક્શન છે અને તે સંપૂર્ણ રીતે ડિહાઇડ્રેટ થઈ ગઈ છે. ભોપાલથી આવેલા ડોક્ટર ચીતાની સારવાર કરી રહ્યા છે. સારવારને લગતી તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. જોકે રાહતની વાત એ કે બાકી તમામ ચિત્તાઓ સ્વસ્થ છે. આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધરતી ધ્રુજી, જલગાંવના આ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા… આટલી હતી તીવ્રતા

News Continuous Bureau | Mumbai આજે મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ ઉપરાંત ભુસાવળ નજીક સાવદા, કંડારી રાયપુર વિસ્તારમાં પણ 10 થી 20 સેકન્ડના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભુસાવલ વિસ્તારમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આવ્યો છે. સદનસીબે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, આ ભૂકંપના આંચકાના કારણે થોડા સમય માટે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો મુદ્દો જાગ્યો

News Continuous Bureau | Mumbai વૈશ્વિક કારણો અને આગામી બજેટ પહેલા શેરબજારમાં મોટો કડાકો બોલી ગયો છે. સેન્સેક્સ 1,113.36 પોઈન્ટ એટલે કે 1.85 ટકા સાથે 59,091.70ના સ્તરે અને નિફ્ટી 374.35 પોઇન્ટ એટલે કે 2.09 ટકાના ઘટાડા સાથે 17,517.60 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30માંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટીના 50માંથી 39 શેરો ડાઉન છે. આજના કારોબારમાં અદાણી ગ્રુપના મોટાભાગના શેરમાં ગાબડું પડ્યું છે. આ ઘટાડાના પગલે બજાર આજે 3 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ સમાચાર પણ વાંચો : દાદરમાં રહેણાંક બિલ્ડીંગમાં લાગેલી આગ આખરે ચાર કલાક બાદ કાબૂમાં આવી, ફરી એક વખત બહુમાળી ઇમારતની સુરક્ષાનો...