શૉકિંગ! અમદાવાદમાં મિલાવટ કરનારાં 20 ઉદ્યોગગૃહોમાંથી માત્ર આટલાં સામે જ લીધાં સરકારે પગલાં, આટલાં ગૃહો સામે કેસ પણ દાખલ કર્યા નથી, આરટીઆઇમાં બહાર આવી ચોંકાવનારી વિગત; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

અમદાવાદમાં 20 ઉદ્યોગગૃહો દ્વારા ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી વિગત આરટીઆઇમાં બહાર આવી છે. 20 ઉદ્યોગગૃહમાંથી ફક્ત 7 સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે 13 સામે હજી કાર્યવાહી ચાલી રહી હોવાનો જવાબ આપ્યો હતો. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિ દ્વારા કરવામાં આવેલી આરટીઆઇમાં આ ચોંકાવનારી વિગત બહાર આવી છે.

વિદેશી ઈ-કૉમર્સ કંપની સામે CBI તપાસની માગણી માટે દેશભરમાં વેપારીઓ લેશે આજે આ પગલું, CAITએ કરી એમેઝોનના ખાતાની ફોરેન્સિંગ ઑડિટની માગણી; જાણો વિગત

આરટીઆઇ કરનારા કાર્યકર્તાના કહેવા મુજબ અમદાવાદ બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોના પૅકેટ પર એક્સપાયરી ડેટ લખવામાં આવતી નથી. હલકી ગુણવત્તાનો સામાન વેચનારા સામે પગલાં લેવાની જવાબદારી સરકારની છે. છતાં તેના તરફ દુલર્ક્ષ કરવામાં આવી રહ્યું છે. જૂન 2020થી 2021 સુધીના સમયગાળામાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં 20 ગૃહઉદ્યોગો તથા ડેરી અને પાર્લરનાં સૅમ્પલ ચેક કરવામાં આવ્યાં હતાં. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ હોવાનું જણાયું હતું.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More