ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
હાલમાં ઘણી બૅન્કોનું અન્ય બૅન્કો સાથે મર્જર થયું છે. હવે આ બૅન્કો પોતાના નીતિનિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે પણ જાણી લો તમારું ખાતું આ બૅન્કમાં તો નથીને?
જો તમારું બૅન્ક ખાતું પણ આ જાહેર બૅન્કોમાં છે, તો ચેકબુક સમયસર બદલો. આ બૅન્કો એવી છે જે તાજેતરમાં અન્ય બૅન્કોમાં મર્જ થઈ છે. 1 ઑક્ટોબર, 2021થી બૅન્કોના મર્જરને કારણે ખાતાં નંબરો, IFSC અને MICR કોડમાં ફેરફારને કારણે બૅન્કિંગ સિસ્ટમ જૂના ચેકને માન્યતા આપશે નહીં. આ બૅન્કોની તમામ ચેકબુક અમાન્ય થઈ જશે. એથી આ તમામ બૅન્કોના ગ્રાહકોને તાત્કાલિક તેમની શાખાની મુલાકાત લેવા અને નવી ચેકબુક માટે અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.
અફઘાની મહિલાઓએ કર્યો 'તાલિબાની બુરખા'નો વિરોધ, પારંપરિક પહેરવેશની તસવીરો શૅર કરી; જુઓ સુંદર તસવીરો
આ બૅન્કોની ચેકબુક અમાન્ય રહેશે
અલ્હાબાદ બૅન્ક, ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાની ચેકબુક અને MICR કોડ 1 ઑક્ટોબરથી અમાન્ય થવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ બૅન્ક, ઇન્ડિયન બૅન્ક સાથે મર્જ થઈ છે, જે 1 એપ્રિલ, 2020થી અમલમાં આવી છે. જ્યારે ઓરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયાને પંજાબ નૅશનલ બૅન્કમાં મર્જ કરવામાં આવી હતી, જે 1 એપ્રિલ, 2019થી અમલમાં આવી હતી.
બૅન્કોએ ટ્વીટ કરીને માહિતી આપી છે
કે આ ત્રણ બૅન્કોનો MICR કોડ અને ચેકબુક માત્ર 30 સપ્ટેમ્બર, 2021 સુધી માન્ય છે. જૂનો MICR કોડ અને ચેક બુક 1 ઑક્ટોબર, 2021થી અમાન્ય રહેશે. કોઈ પણ વિક્ષેપ વગર બૅન્કિંગ વ્યવહારો ચાલુ રાખવા માટે, ગ્રાહકોએ 1 ઑક્ટોબર, 2021 પહેલાં નવી ચેકબુક એકત્રિત કરવી આવશ્યક રહેશે.
બૉલિવુડના પાંચ સંબંધો જેના સમાચાર સાંભળ્યા ન હતા, જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે લોકોને આશ્ચર્ય થયું