ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ FDના ઑટો રિન્યુઅલ સંદર્ભેના નવા નિયમો બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે રિટેલ FDના નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા નિયમો માત્ર બિઝનેસ હાઉસિસ અથવા કંપનીઓ માટે જ બનાવવામાં આવ્યા છે. એટલે કે આ કંપનીઓની મોટી FD પાકતાંઑટો રિન્યુ થશે નહીં અને મુદત પૂર્ણ થતાં સેવિંગ ઍકાઉન્ટના જ વ્યાજદર લાગુ થશે.
RBIના આ નવા નિયમથી લોકો નારાજ થયા હતા, એથી RBIએ સ્પષ્ટતા કરતાં આ નિવેદન આપ્યું છે કે આ નિયમો સામાન્ય લોકોની નાની મૂડીને અસર કરશે નહિ. સામાન્ય નાગરિકો દ્વારા જમા કરવામાં આવેલી FD માટે રિન્યુઅલના જૂના નિયમો જ લાગુ રહેશે. આ અગાઉના આદેશમાં RBIએ આ ફેરફારની જાણ કરતું પરિપત્ર બહાર પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હવે આ નવા નિયમ મુજબ કંપનીઓની FDઑટો રિન્યુ થશે નહિ. RBIએ આ સંદર્ભે બૅન્કના બોર્ડને પારદર્શક નીતિ ઘડવા કહ્યું છે.