News Continuous Bureau | Mumbai
Reserve Bank Of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI) બેંકોને લઈને મોટું આયોજન કરી રહી છે, જેનાથી દેશભરના કરોડો ગ્રાહકોને ફાયદો થશે. આરબીઆઈએ એક સર્ક્યુલર જારી કરીને આ અંગે માહિતી આપી છે. બેંકોના પ્રાઈવેટાઈજેશન અને તેમને વિવિધ શ્રેણીઓમાં વિભાજિત કરવા ઉપરાંત, RBI વિવિધ યોજનાઓ બનાવી રહી છે જેથી દેશની બેન્કિંગ સિસ્ટમમાં સુધારો કરી શકાય.
આરબીઆઈએ બનાવ્યો આ પ્લાન
આપને જણાવી દઈએ કે હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અર્બન કો-ઓપરેટિવ બેંકો (urban co-operative banks) ના વર્ગીકરણ માટે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. તેના માટે ચાર સ્તરીય નિયમનકારી માળખાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે આ બેંકોની નેટવર્થ અને મૂડી પર્યાપ્તતા સંબંધિત ધોરણો પણ જારી કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Mumbai News : 6 ડિસેમ્બરે મુંબઈના આ વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ
અર્બન કો – ઓપરેટિવ બેંકોમાં થશે ફેરફાર
રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સર્ક્યુલર મુજબ શહેરી સહકારી બેંકો માટે આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. આ બેંકોના વર્ગીકરણની ચાર-સ્તરીય નિયમનકારી પ્રણાલી તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આ ફોર્મેટ સહકારી બેંકો પાસેની થાપણોના કદ પર આધારિત છે.
અત્યારે ટાયર 1 અને 2 માં વહેંચવામાં આવે છે
સર્ક્યુલર મુજબ હાલમાં યુસીબીને ટાયર-1 અને ટાયર-2ની બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ હવે ચાર કેટેગરી બનાવવામાં આવશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે નાના કદની સહકારી બેંકો વચ્ચે સહકારની ભાવના જાળવવા માટે એક માળખાની જરૂરિયાત અનુભવાઈ હતી.
કેવી રીતે નક્કી થશે કેટેગરી
ટાયર-1 ના UCB તરીકે 100 કરોડ રૂપિયા સુધીની જમા કરનારી સહકારી બેંકો હશે. ટાયર – 2 ના યુસીબી તરીકે 100 કરોડ રૂપિયાથી લઈ 1,000 કરોડ રૂપિયા સુધીની થાપણો, ટાયર 3 હેઠળ 1,000 કરોડથી 10,000 કરોડ રૂપિયા સુધી જમાવાળી અને ટાયર – 4 હેઠળ 10,000 કરોડ રૂપિયાથી વધુની થાપણોવાળી શહરી બેંક હશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Sec. 144 : મુંબઈમાં 2 જાન્યુઆરી સુધી કલમ 144 લાગુ, જાણો કયા પ્રતિબંધ રહેશે; શું બંધ કરવામાં આવ્યું, વિગતવાર અહીં વાંચો.