એક સામાન્ય માણસ ઘરમાં કેટલી રોકડ રકમ રાખી શકે છે તે અંગે વિસ્તૃત જાણકારી લોકો પાસે ઉપલબ્ધ નથી. પણ તમે ઘરમાં કેટલી રોકડ રાખી શકો છો તે અંગે જાણકારી મેળવવા લોકો ઉત્સુક છે. તો આજના લેખમાં અમે તમને જણાવી દઈએ આ અંગેની સાચી માહિતી…
ઘર માં કેટલી રોકડ રકમ રાખી શકાય?
- ઘરમાં કેટલી રોકડ રાખવી જોઈએ તેની કોઈ નિશ્ચિત મર્યાદા નથી.
- તમે અમર્યાદિત રોકડ રાખી શકો છો. પરંતુ, એક જ શરત છે,
તમારે આ રોકડ કમાવાના માધ્યમો રજૂ કરવા પડશે. એટલે કે તમને આ રોકડ કેવી રીતે મળી, તમે કેવી રીતે કમાયા તેની વિગતો તમારે સબમિટ કરવી પડશે. - જો આ રોકડ આવક ટેક્સ Income Tax) ને પાત્ર છે તો તમારે તેના પર પણ ટેક્સ ચૂકવવો પડશે.
તેથી જો તમારી પાસે આવકનો સ્ત્રોત અને તેની વિગતો હોય તો તમે ઘરમાં કોઈપણ રકમ રાખી શકો છો. મર્યાદા નક્કી કરવામાં આવી નથી. - ઉપરાંત, જો તમે આવકવેરો ભરતા હોવ તો તમને કોઈપણ કાર્યવાહીનો સામનો કરવામાં વાંધો નથી.
જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો હોય તો ગભરાવાનું કોઈ કારણ નથી, તેના માટે ITR. તમારી પાસે કમાણી મર્યાદા નથી. આવી રોકડ લઈ જવાનો કોઈ ભય નથી.
આ સમાચાર પણ વાંચો: Maharashtra News : મહારાષ્ટ્ર સરકારે હૈદરાબાદના નિઝામની 200 કરોડની સંપત્તિ જપ્ત કરી! જાણો, શું છે મામલો
પરંતુ આ નહીં કરો તો ૧૩૭ ટકા ટેક્સ ચૂકવવો પડશે
રોકડ રકમ એટલે કાળું ધન એ વાત ખોટી છે. કાળુ ધન એને કહેવાય જે રકમ પર ઈન્કમ ટેક્સ ભરવામાં આવ્યો નથી.
જ્યારે કોઈને ત્યાં આવકવેરા ની રેડ પડે છે અને રોકડ રકમ ક્યાંથી આવી તે સંદર્ભે જો આવકવેરા વિભાગ જવાબથી સંતુષ્ટ નથી.
જો દસ્તાવેજોમાં કોઈ ભૂલ હશે તો તમારે દંડની પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કુલ આવક પર 137 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ રકમ ઘણી મોટી હોવા છતાં તેને જમા કરાવવી પડશે.
આ સમાચાર પણ વાંચો: Railway News : પશ્ચિમ રેલવે માર્ચ 2023 સુધીમાં ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઇન ખોલી શકશે