News Continuous Bureau | Mumbai
Maandhan Scheme 2023: વૃદ્ધાવસ્થાની ચિંતા કરતા લોકો માટે સરકારે એક અદ્ભુત યોજના શરૂ કરી હતી. જેમાં જોડાયા બાદ આજે લાખો લોકો ઘણો ફાયદો ઉઠાવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર (central government) ની માનધન યોજના (Maandhan Scheme) વૃદ્ધાવસ્થાની લાકડી સાબિત થઈ રહી છે. કારણ કે માત્ર 55 રૂપિયાનું રોકાણ તમને દર મહિને 3,000 રૂપિયાની ગેરંટી આપે છે. એટલું જ નહીં, આ યોજનામાં જોડાવાથી, રોકાણકારને અન્ય ઘણા લાભો પણ મળે છે. ચાલો માનધન યોજના (Maandhan yojna) વિશે વધુ જાણીએ.
ફક્ત 55 રૂપિયાનું રોકાણ
માનધન યોજના (Maandhan yojna) નો લાભ મેળવવા માટે, તમારી ઉંમર 18 વર્ષની હોવી આવશ્યક છે. ઉપરાંત, તમારે દર મહિને માત્ર 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રકમ તમારા એકાઉન્ટમાંથી કપાતી રહેશે. બીજી તરફ, જો તમારી ઉંમર 40 વર્ષ છે, તો તમારે દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું ફરજિયાત છે. એટલે કે રોજના માત્ર અઢી રૂપિયાની બચત કરીને તમે વાર્ષિક 36,000 રૂપિયા મેળવવાના હકદાર બની જાવ છો. તમને આ 36 હજાર રૂપિયા દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે મળશે. જેના કારણે તમે વૃદ્ધાવસ્થામાં રૂપિયાની ટેન્શનથી મુક્તિ મેળવી શકો છો.
આ સમાચાર પણ વાંચો: બરડા અભયારણ્યમાં સિંહ દેખાયો, એશિયાટિક સિંહ છેક 143 વર્ષ પછી પ્રવેશ્યો..
આ રીતે રજિસ્ટ્રેશન કરાવો
યોજના (Maandhan yojna) નો લાભ મેળવવા માટે, તમારે કોમન સર્વિસ સેન્ટર (CSC) માં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરકારે આ યોજના (Maandhan yojna) માટે વેબ પોર્ટલ બનાવ્યું છે. આ કેન્દ્રો દ્વારા તમામ ઓનલાઈન માહિતી ભારત સરકારને જશે. તે જ સમયે, રજિસ્ટ્રેશન માટે તમારે તમારા આધાર કાર્ડ (Aadhar Card) , બચત અથવા જન ધન બેંક એકાઉન્ટની પાસબુક (Saving or Jan Dhan Bank Account) , મોબાઈલ નંબર (Mobile Number) ની જરૂર પડશે. તેના પછી, તમારા એકાઉન્ટમાંથી દર મહિને 55 રૂપિયા કાપવામાં આવશે.
Join Our WhatsApp Community