News Continuous Bureau | Mumbai
Aryan Khan Drug Case: બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Bureau of Narcotics Control) ના ભૂતપૂર્વ મુંબઈ ઝોનલ ડિરેક્ટર, સમીર વાનખેડે (Sameer Wankhede) ને તેમની અરજીમાં સુધારો કરવા અને વધારાના આધાર ઉમેરવાની મંજૂરી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું છે, કે લાંચ આપનાર સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
વાનખેડે પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા હાઇ-પ્રોફાઇલ ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસ (Drug- on- Cruize Case) માં ખંડણી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જ્યારે લક્ઝરી ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ઈન્ડિયન રેવેન્યુ સર્વિસ (IRS) અધિકારી વાનખેડે NCB સાથે ડેપ્યુટેશન પર હતા. આ કાર્યકાળ દરમિયાન તેણે અને અન્ય ચાર આરોપીઓએ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) પાસેથી તેના પુત્ર આર્યન (Aryan) ને ક્રુઝ શિપમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા પછી તેને ફસાવવામાં ન આવે તે માટે 25 કરોડ રૂપિયાની લાંચની માંગણી કરી હતી, એમ સીબીઆઈ (CBI) એ જણાવ્યું હતું.
બુધવારે, વાનખેડેના વકીલો, આબાદ પોંડા, રિઝવાન મર્ચન્ટ અને સ્નેહા સનપે, આ મુદ્દાઓની દલીલ કરવાનું શરૂ કર્યું જ્યારે એજન્સી તરફથી હાજર રહેલા એડવોકેટ કુલદીપ પાટીલે ધ્યાન દોર્યું કે આ મુદ્દાઓ અરજીનો ભાગ નથી. પોંડાએ રજૂઆત કરી હતી કે આ કાનૂની મુદ્દાઓ છે અને તેથી પિટિશનમાં તેની જરૂર નથી.
આ સમાચાર પણ વાંચો : Anti Ageing foods : નાની ઉંમરમાં દેખાતા ચહેરા પરના વૃદ્ધાવસ્થાના ચિન્હો થશે દૂર, આજથી જ ખાવાનું શરુ કરો આ 7 એન્ટી એજિંગ ફૂડ્સ
જસ્ટિસ એ.એસ. ગડકરી અને એસજી ડિગેની બેન્ચે વાનખેડેને તેમની અરજીમાં છેલ્લી વખત સુધારો કરવા અને મુદ્દાઓનો સમાવેશ કરવા કહ્યું…
જો કે, પાટીલે ચાલુ રાખ્યું, જેના પગલે જસ્ટિસ એ.એસ. ગડકરી અને એસજી ડિગેની બેન્ચે વાનખેડેને તેમની અરજીમાં છેલ્લી વખત સુધારો કરવા અને મુદ્દાઓનો સમાવેશ કરવા કહ્યું. તેમને અગાઉ પણ તેમની અરજીમાં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
પોંડાએ જણાવ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમોને લગતા વધારાના આધારોનો સમાવેશ કરવા અરજીમાં સુધારો કરશે. આ વિભાગો કહે છે કે જે વ્યક્તિ પ્બલિક સર્વંટને પ્રેરિત કરવા અને અયોગ્ય લાભ મેળવવા માટે લાંચ ઓફર કરે છે/આપે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
ખંડપીઠે અરજીની વધુ સુનાવણી 20 જુલાઈએ રાખી હતી અને કહ્યું હતું કે સીબીઆઈએ (CBI) ત્યાં સુધીમાં સુધારેલી અરજીનો જવાબ આપવો જોઈએ. કોર્ટે વાનખેડેને આપવામાં આવેલી વચગાળાની સુરક્ષાને 20 જુલાઈ સુધી લંબાવી દીધી હતી, જે તેણે અગાઉ આપી હતી.
આ કેસ NCBની વિશેષ તપાસ ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો..
વાનખેડે અને કેસના અન્ય આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) અને લાંચ સંબંધિત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનાહિત કાવતરું અને ખંડણીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય કેટલાક લોકોની ઓક્ટોબર 2021માં ડ્રગ્સ રાખવા, સેવન અને હેરફેરના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયા જેલમાં રહ્યા બાદ હાઈકોર્ટે જામીન આપ્યા હતા.
આ કેસ NCBની વિશેષ તપાસ ટીમને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેણે પછીથી તેની ચાર્જશીટ દાખલ કરી હતી, પરંતુ પુરાવાના અભાવને ટાંકીને આર્યનને કેસમાં આરોપી તરીકે નામ નોંધવામાં ન આવ્યુ હતુ. ત્યારપછી NCBએ કેસ અને તેના પોતાના અધિકારીઓની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : PM Narendra Modi: પાકિસ્તાનની નીતિ આતંકવાદીઓને આશ્રય આપવાની છે; વડાપ્રધાન મોદી..