Site icon

ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.

members of Shinde Sena for assaulting former party worker

ઉત્તર મુંબઈના માગાઠાણેમાં એકનાથ શિંદેના શિવસૈનિકોએ ભાજપના કાર્યકર્તાને ધોઈ નાખ્યો. વિડીયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં શિવસેના (શિંદે જૂથ)ના કાર્યકરોએ ભાજપના કાર્યકરને માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈના દહિસર ઈસ્ટ વિસ્તારમાં મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ બંને પક્ષોના કાર્યકર્તાઓ વચ્ચે લડાઈની આ ઘટના બની હતી. બેનર લગાવવાને લઈને થયેલા વિવાદ બાદ શિવસેનાના શિંદે જૂથ દ્વારા ભાજપના એક કાર્યકરને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આ મારામારીમાં ભાજપના કાર્યકરને ગંભીર ઈજાઓ પહોંચી છે. બીજેપી કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

ગઠબંધન સરકારમાં સામેલ બંને પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શિવસેનાના શિંદે જૂથના શિવસૈનિકોએ મળીને ભાજપના કાર્યકરને માર મારી રહ્યા છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શિવસેનાના શિંદે જૂથ અને ભાજપના કાર્યકરો વચ્ચેની આ અથડામણ એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ગઠબંધન ભાગીદારો વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે.

આ સમાચાર પણ વાંચો : શું તમે કદી ચળકતા ચાંદી જેવા રંગનો ઘોડો જોયો છે. પરીકથાના ઘોડો વાસ્તવમાં છે. જુઓ વિડીયો..

Amit Satam: “કહો, આ મતચોરી છે કે વોટ જિહાદ?”; ભાજપનો વિપક્ષને કટાક્ષભર્યો સવાલ, આપ્યા આંકડા
Sakinaka murder: મુંબઈ: ખાવાનું ન લાવવા બદલ ૪ ટેક્સી ડ્રાઇવરોએ પોતાના જ સાથીને ઢોર માર મારીને હત્યા કરી, વિસ્તારમાં ખળભળાટ
Mumbai Airport: વાસીઓ માટે મહત્વના સમાચાર; 20મી નવેમ્બરે મુંબઈ એરપોર્ટ છ કલાક માટે બંધ; જાણો શું છે કારણ?
Dadar Pigeon House: મુંબઈ માં કબૂતરોને દાણા ખવડાવવા પર વિવાદ, દાદર કબૂતરખાનાને બંધ કરવા વિરુદ્ધ જૈન સંતે શરૂ કર્યું વિરોધ પ્રદર્શન
Exit mobile version