News Continuous Bureau | Mumbai
પશ્ચિમ અને મધ્ય રેલવેએ જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે શનિવારે મધ્યરાત્રિ 12:00 થી રવિવારે બપોરે 2:00 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોકની જાહેરાત કરી છે. આ કારણે, બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે હાર્બર રૂટ પર કેટલીક અપ અને ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે.
– બાંદ્રાથી ગોરેગાંવ હાર્બર રૂટ પર ડાઉન લોકલ ટ્રિપ્સ શનિવારે રાત્રે 11.55 વાગ્યાથી રવિવારે બપોરે 1.55 વાગ્યા સુધી રદ કરવામાં આવશે.
– ગોરેગાંવથી બાંદ્રા અપ લોકલ ટ્રેન શનિવાર રાતે 11.33 વાગ્યાથી રવિવાર બપોરે 2.05 વાગ્યા સુધી રદ્દ રહેશે.
આજે છેલ્લી લોકલ
– CSMT થી ગોરેગાંવ : રાત્રે 10.54 કલાકે
– ગોરેગાંવ થી CSMT : 11.06 pm
રવિવારે પ્રથમ લોકલ
– CSMT થી ગોરેગાંવ : બપોરે 2.18 કલાકે
– ગોરેગાંવ થી CSMT : બપોરે 2.33 કલાકે
આ સમાચાર પણ વાંચો: RBI : કેન્દ્રની મોદી સરકારને ફાયદો, રિઝર્વ બેંક તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા અધધ આટલા હજાર કરોડ રૂપિયા..
બ્લોકને કારણે રૂટ ડાયવર્ટ
– પશ્ચિમ રેલવે પર અપ-ડાઉન લોકલ ટ્રેનોને અંધેરી અને ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.
– મધ્ય રેલવેના હાર્બર રૂટ પરની તમામ લોકલ ટ્રેનો માત્ર બાંદ્રા સ્ટેશન સુધી જ ચલાવવામાં આવશે.
– ચર્ચગેટ-બોરીવલી વચ્ચેની લોકલ ટ્રેનો માત્ર અંધેરી સ્ટેશન સુધી ધીમી લાઈનો પર ચલાવવામાં આવશે. અંધેરી રેલવે સ્ટેશનથી જ ચર્ચગેટ-બોરીવલી વચ્ચે લોકલ ટ્રેનો ઉપડશે.
– ચર્ચગેટ અને વિરાર વચ્ચે વધારાની લોકલ દોડાવવામાં આવશે.
– મેઇલ-એક્સપ્રેસ બ્લોક સમય દરમિયાન 15 મિનિટના વિલંબ સાથે ચાલશે.