લોકલ યાત્રી માટે મોટા સમાચાર! આજે મધ્યરાત્રિથી જ હાર્બર લાઈન પર હાથ ધરાશે પાવર બ્લોક; આવતીકાલે આટલા વાગ્યા સુધી રહેશે બ્લોક..

by kalpana Verat
Mumbai local : Western Railway Canceled 250 Locals For 10 Days due to this reason

 News Continuous Bureau | Mumbai

પશ્ચિમ અને મધ્ય રેલવેએ જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે શનિવારે મધ્યરાત્રિ 12:00 થી રવિવારે બપોરે 2:00 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોકની જાહેરાત કરી છે. આ કારણે, બાંદ્રા અને ગોરેગાંવ વચ્ચે હાર્બર રૂટ પર કેટલીક અપ અને ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે.

– બાંદ્રાથી ગોરેગાંવ હાર્બર રૂટ પર ડાઉન લોકલ ટ્રિપ્સ શનિવારે રાત્રે 11.55 વાગ્યાથી રવિવારે બપોરે 1.55 વાગ્યા સુધી રદ કરવામાં આવશે.

– ગોરેગાંવથી બાંદ્રા અપ લોકલ ટ્રેન શનિવાર રાતે 11.33 વાગ્યાથી રવિવાર બપોરે 2.05 વાગ્યા સુધી રદ્દ રહેશે.

આજે છેલ્લી લોકલ

– CSMT થી ગોરેગાંવ : રાત્રે 10.54 કલાકે

– ગોરેગાંવ થી CSMT : 11.06 pm

રવિવારે પ્રથમ લોકલ

– CSMT થી ગોરેગાંવ : બપોરે 2.18 કલાકે

– ગોરેગાંવ થી CSMT : બપોરે 2.33 કલાકે

આ સમાચાર પણ વાંચો: RBI : કેન્દ્રની મોદી સરકારને ફાયદો, રિઝર્વ બેંક તરફથી સરકારને ડિવિડન્ડમાં મળ્યા અધધ આટલા હજાર કરોડ રૂપિયા..

બ્લોકને કારણે રૂટ ડાયવર્ટ

– પશ્ચિમ રેલવે પર અપ-ડાઉન લોકલ ટ્રેનોને અંધેરી અને ગોરેગાંવ વચ્ચે અપ અને ડાઉન એક્સપ્રેસ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

– મધ્ય રેલવેના હાર્બર રૂટ પરની તમામ લોકલ ટ્રેનો માત્ર બાંદ્રા સ્ટેશન સુધી જ ચલાવવામાં આવશે.

– ચર્ચગેટ-બોરીવલી વચ્ચેની લોકલ ટ્રેનો માત્ર અંધેરી સ્ટેશન સુધી ધીમી લાઈનો પર ચલાવવામાં આવશે. અંધેરી રેલવે સ્ટેશનથી જ ચર્ચગેટ-બોરીવલી વચ્ચે લોકલ ટ્રેનો ઉપડશે.

– ચર્ચગેટ અને વિરાર વચ્ચે વધારાની લોકલ દોડાવવામાં આવશે.

– મેઇલ-એક્સપ્રેસ બ્લોક સમય દરમિયાન 15 મિનિટના વિલંબ સાથે ચાલશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More