કહેવાય છે કે એક ફોટો એક હજાર શબ્દની ગરજ સારે છે… વડાપ્રધાનની મુંબઈ મુલાકાત દરમિયાન સૌથી લોકપ્રિય ફોટોગ્રાફ. તમે પણ જુઓ તે ફોટો

આ પછી તેઓએ સાંજે મુંબઈમાં અલઝામી-તુસ-સૈફિયાહનાં નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું.  તેમણે આ એકેડેમીનો પ્રવાસ પણ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું અહીં ન તો વડાપ્રધાન તરીકે છું ન મુખ્યમંત્રી તરીકે. મારી પાસે જે સૌભાગ્ય છે, તે કદાચ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું આ પરિવારથી 4 પેઢીથી જોડાયેલો છું.

by kalpana Verat
PM Modi inaugurates academy of Dawoodi Bohra community

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મુંબઈના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શીરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. 

આ પછી તેઓએ સાંજે મુંબઈમાં અલઝામી-તુસ-સૈફિયાહનાં નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું.  તેમણે આ એકેડેમીનો પ્રવાસ પણ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે હું અહીં ન તો વડાપ્રધાન તરીકે છું ન મુખ્યમંત્રી તરીકે. મારી પાસે જે સૌભાગ્ય છે, તે કદાચ બહુ ઓછા લોકોને મળ્યું છે. હું આ પરિવારથી 4 પેઢીથી જોડાયેલો છું. બધી જ 4 પેઢીઓ મારા ઘરે આવી ચુકી છે. આમ તેમણે સમાજ સાથેનો નાતો પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, અલજામિયા-તુસ-સૈફિયાહ પરિસર અને પરિવારનો પ્રવાસ કરવો મારા પોતાના પરિવારનો પ્રવાસ કરવા જેવું છે અને હું તમને અનુરોધ કરું છું કે મને પ્રધાનમંત્રીના રૂપે સંબોધિત ના કરો કારણ કે આ મારો પરિવાર છે અને હું ઘરે છું.

મહત્વનું છે કે અલ્ઝામિયા-તુસ-સૈફિયા દાઉદી વ્હોરા સમુદાયનું પ્રમુખ શૈક્ષણિક સંસ્થાન છે. સૈફી એકેડેમી સમુદાયની શીખવાની પરંપરાઓ અને સાક્ષરતા સંસ્કૃતિની રક્ષા માટે કામ કરી રહી છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More