402
Join Our WhatsApp Community
મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે, રવિવાર, 4 ડિસેમ્બરે મધ્ય રેલવેની ( central Railway ) મુખ્ય લાઇન ( harbor routes )
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – કલ્યાણ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – પનવેલ હાર્બર રૂટ પર કોઈ મેગા બ્લોક ( no mega block ) રહેશે નહીં. રેલવે પ્રશાસનના આ નિર્ણયને કારણે રાજ્યભરમાંથી મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુંબઈ આવેલા પ્રવાસીઓ અને આંબેડકર અનુયાયીઓ માટે અનુકૂળતા રહેશે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – કલ્યાણ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – પનવેલ હાર્બર રૂટ પર કોઈ મેગા બ્લોક ( no mega block ) રહેશે નહીં. રેલવે પ્રશાસનના આ નિર્ણયને કારણે રાજ્યભરમાંથી મહાપરિનિર્વાણ દિન નિમિત્તે મુંબઈ આવેલા પ્રવાસીઓ અને આંબેડકર અનુયાયીઓ માટે અનુકૂળતા રહેશે.
આ ઉપરાંત, મધ્ય રેલવેએ મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત નાગપુર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેન દોડશે.
સ્પેશિયલ ટ્રેન નંબર 01262 નાગપુરથી 4 ડિસેમ્બરે 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.30 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ પહોંચશે.
આ સમાચાર પણ વાંચો: Malad Fire: મુંબઈમાં મલાડની બહુમાળી ઈમારતમાં ફાટી નીકળી આગ, યુવતીએ બાલ્કનીમાંથી કૂદીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો..
વિશેષ ટ્રેન નંબર 01264 નાગપુરથી 5 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 11.45 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ પહોંચશે.
વિશેષ ટ્રેન નંબર 01266 નાગપુરથી 5મી ડિસેમ્બરે 15.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.55 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ પહોંચશે.
આ ત્રણેય ટ્રેનો અકોલા અને મુર્તિજાપુર રેલ્વે સ્ટેશન પર ઉભી રહેશે, જેનાથી સ્થાનિક મુસાફરોને ફાયદો થશે.