એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા રાહુલ ગાંધી, ભાજપ દાખલ કરશે 1000 રાજદ્રોહના કેસ; જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

સોમવાર 

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. 

ભાજપની આસામ યુનિટ રાજ્યમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આજે દેશદ્રોહના ઓછામાં ઓછા 1000 કેસ નોંધાવશે.

દેશદ્રોહનો મામલો આ નિવેદનના વિરોધમાં નોંધાવશે, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતની સરહદો ગુજરાતથી લઈને બંગાળ સુધી છે. 

ભાજપનું માનવું છે કે, રાહુલ ગાંધીએ આ પ્રકારનું નિવેદન આપીને અરુણાચલ પ્રદેશ પર ચીનના પ્રોપેગૈંડાને સ્વીકાર કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગત 10 ફેબ્રુઆરી રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, કાશ્મીરથી લઈને કેરલ સુધી અને ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધી ભારતના રંગો સુંદર છે. ભારતની ભાવનાનું સત્યાનાશ ન કરો. 

ભારતની ડિજિટલ સ્ટ્રાઈક, ચાલાક ડ્રેગનને લાગશે ઝટકો! વધુ આટલી મોબાઈલ એપ્સ પર લગાવી દીધો પ્રતિબંધ.. જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More