સુપ્રીમ કોર્ટની ફટકારની અસર: કોરોના મૃતક ના પરિવાર માટે સરકારે જાહેર કર્યું વળતર, મળશે આટલા હજાર રૂપિયા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021

ગુરુવાર

કોરોના સંક્રમણના કારણે મરનાર લોકોના પરિવારોને 50 હજાર રૂપિયા વળતર પેટે આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જો મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના છે, તો મૃતકના સગાને સહાય આપવામાં આવશે. 

કેન્દ્ર સરકારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી કોરોના પીડિતોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે.

સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે માત્ર પહેલાથી થયેલા મૃત્યુ માટે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ મૃત્યુ માટે વળતર ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની લાંબા સમયથી માગ થઈ રહી હતી. 

અનોખો રિવાજ : કેરીનાં આંબલી સાથે કરાવવામાં આવ્યાં લગ્ન; જાણો વિગત

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *