245
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જાન્યુઆરી 2022
સોમવાર
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી છે
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઈ છે.
આ પગલે દેશભરનાં ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.
ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા, અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાના વચનોથી સરકાર ફરી ગઇ છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ માગણીઓને સ્વિકારવાની લેખીતમાં ખેડૂતોને ખાતરી આપી હતી જે બાદ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનને પરત લેવામાં આવ્યું હતું.
You Might Be Interested In