News Continuous Bureau | Mumbai
આઝાદીના અમૃત મહોત્સવની(Amrit Mohotsav of Azadi) ઉજવણી રૂપે દેશમાં “હર ઘર તિરંગા”(Har ghar Tiranga) અભિયાન(campaign) હાથ ધરવામાં આવ્યું છે. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) દેશના નાગરિકોને(Citizens of the country) તેમાં પુરા જોશ અને ઉલ્હાસ સાથે તેમાં જોડાવાની અપીલ કરી છે, જે હેઠળ તેમણે નાગરિકોને પોતાના મોબાઈલ ડીપીમાં(Mobile DP) સોશિયલ મિડિયામાં(social media) ફેસબુકમાં(Facebook) અને ઘરે એમ તમામ જગ્યાએ દેશના તિરંગાને સ્થાન આપવાનું આહ્વાન કર્યું છે.
રવિવારે વડા પ્રધાન મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં(Mann Ki Baat program) આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં દેશના નાગરિકોને સામેલ થવાનું કહ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, તે હેઠળ હર ઘર તિરંગા ઝુંબેશ 13થી 15 ઓગસ્ટ હાથ ધરવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમોની પહેરવી કરનાર વકીલ નું મૃત્યુ- સન્નાટો
મોદીએ નાગરિકોને પોતાના સોશિયલ મિડિયા પ્રોફાઈલ(Profile) પર બીજી ઓગસ્ટથી 15 ઓગસ્ટથી દેશના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનો(National flag tricolor of the country) ફોટો રાખવાની અપીલ પણ કરી હતી.
ભારતીય ધ્વજ તિરંગાની ડીઝાઈન પિનગાલી વૈકૈયાએ(Pingali Vaikaiya) બનાવી હતી. બીજી ઓગસ્ટે તેમની પુણ્યતિથિ છે, તેથી તેમને માન આપવા માટે પણ બીજી ઓગસ્ટથી સોશિયલ મિડિયામાં પ્રોફાઈલમાં તિરંગો રાખો એવું પણ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું.