News Continuous Bureau | Mumbai
દિલ્હીની ( Delhi ) જામા મસ્જિદમાં ( Jama Masjid ) યુવતીઓની ( women ) એન્ટ્રી પર પ્રતિબંધને ( Ban ) લઈને એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ સાથે વાત કરી છે. રાજ નિવાસના સૂત્રો પ્રમાણે દિલ્હીના એલજીએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી સાથે જામા મસ્જિદમાં મહિલાઓના ( women ) પ્રવેશને પ્રતિબંધિત ( Ban ) કરનાર આદેશને રદ્દ કરવાની વિનંતી કરી. ઇમામ બુખારીએ પોતાના આદેશને રદ્દ કરવા ( removed ) પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે શરત રાખી કે મસ્જિદમાં આવનાર લોકો અહીંની પવિત્રતા બનાવી રાખે.
આ પહેલા જામા મસ્જિદના ( Jama Masjid ) તંત્રએ મુખ્ય દ્વારો પર નોટિસ લગાવી મસ્જિદમાં યુવતીઓને એકલી કે ગ્રુપમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ર્નિણયની ટીકા બાદ શાહી ઇમામે કહ્યુ હતુ કે નમાજ પઢવા આવતી યુવતીઓ ( women ) માટે આ આદેશ નથી. શાહી ઇમામ સૈયદ અહમજ બુખારી અનુસાર, મસ્જિદ પરિસરમાં કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: કોલેસ્ટ્રોલ તમારી જીંદગી કરી દેશે બરબાદ, કાબૂ કરવા માટટે સામેલ કરી લો આ વસ્તુ
શું કહ્યું હતું શાહી ઈમામે?
તેમણે આ કહ્યું હતું કે જામા મસ્જિદ ( Jama Masjid ) પ્રાર્થનાની જગ્યા છે અને તે માટે લોકોનું સ્વાગત છે. પરંતુ કેટલીક યુવતીઓ ( women ) એકલી આવી રહી છે અને પોતાના મિત્રોની રાહ જાેઈ રહી છે. આ જગ્યા તે કામ માટે નથી, તેના પર પ્રતિબંધ છે. શાહી ઈમામે કહ્યું હતું કે એવી કોઈપણ જગ્યા ભલે તે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરૂદ્વારા હોય, આ પ્રાર્થનાની જગ્યા છે. આ કામ માટે આવવા પર કોઈ પ્રતિબંધ નથી. આ મામલા પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે જામા મસ્જિદ તંત્રને નોટિસ ફટકારી હતી. સ્વાતિ માલીવાલે કહ્યું કે આ શરમજનક છે અને ગેરબંધારણીય હરકત છે.