Site icon

‘શિવસેના’ પાર્ટીનું નામ, ‘ધનુષ અને તીર’ પ્રતીક એકનાથ શિંદે જૂથ ને મળ્યું, ચુટણી પંચનો નિર્ણય.

ભારતના ચૂંટણી પંચે (ECI) શુક્રવારે જાહેરાત કરી કે શિવસેના પક્ષનું નામ તેમજ પ્રતીક "ધનુષ્ય અને તીર" એકનાથ શિંદે જૂથ પોતાની પાસે રાખી શકશે.

Maharashtra Updates National Executive meeting of Shiv Sena to held today

નામ અને ચૂંટણી ચિન્હ મળ્યા બાદ આજે શિવસેનાની પ્રથમ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, લેવાઈ શકે છે આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની રાજનીતિ સંદર્ભે સૌથી મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ( Election commission ) શિવસેના નામ તેમજ પાર્ટીનું પ્રતીક એવા ધનુષ્ય અને બાણને એકના જિંદે જૂથને આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શિંદે ( Eknath Shinde ) (હાલના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન) એ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી શિવસેનાના બંને જૂથો (એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે) પક્ષના ધનુષ અને તીર પ્રતીક ( Bow and arrow symbol ) માટે લડી રહ્યા છે.

Join Our WhatsApp Community

પંચે અવલોકન કર્યું કે શિવસેના પક્ષનું વર્તમાન બંધારણ અલોકતાંત્રિક છે. તેમજ ઉદ્ધવ ઠાકરે જે પાર્ટીના અધ્યક્ષ છે તે પાર્ટીમાં બિન લોકશાહી પદ્ધતિથી લોકોની નિયુક્તિ કરવામાં આવે છે.

એક ગંભીર ટીકા કરતા કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું છે કે તમામ રાજનૈતિક પાર્ટીઓએ પોતાની પોલિટિકલ પાર્ટીનું સ્ટ્રક્ચર તેમ જ પદાધિકારીઓના પદ અને બંધારણ સહિતના તમામ દસ્તાવેજો ઇન્ટરનેટ પર પોતાની વેબસાઈટ પર મૂકવા જોઈએ.

ચૂંટણી પંચે શું કહ્યું

ચૂંટણી પંચે કહ્યું કે “2018 માં શિવસેના નું બંધારણ ECI ને આપવામાં આવ્યું નથી.”

ECI એ અવલોકન કર્યું કે શિવસેનાના મૂળ બંધારણના અલોકતાંત્રિક ધોરણો, જેને પંચ દ્વારા 1999 માં સ્વીકારવામાં આવ્યા ન હતા, તેને ગુપ્ત રીતે પાછા લાવવામાં આવ્યા હતા અને જે પક્ષને જાગીર સમાન બનાવે છે.

આ સમાચાર પણ વાંચો :  એલોન મસ્કના ટ્વિટર ની હાલત ખરાબ! ભારતમાં તેની બે ઓફિસને મારી દીધા તાળાં, કર્મચારીઓને આપી દીધો આ આદેશ

“શિંદે જૂથને ટેકો આપતા 40 ધારાસભ્યોએ કુલ 47,82440 મતોમાંથી 36,57327 મત મેળવ્યા હતા એટલે કે 55 વિજેતા ધારાસભ્યોની તરફેણમાં 76 ટકા મત મળ્યા હતા. આ 11 સાથે વિરોધાભાસી છે ,25113 મતો 15 ધારાસભ્યો દ્વારા મેળવ્યા છે જેમના સમર્થનનો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવ્યો છે એટલે કે 55 ધારાસભ્યોને જીતવાની તરફેણમાં 23.5 ટકા મત મળ્યા છે, ” વધુમાં, 90,49,789 ની સામે, 2019 માં મહારાષ્ટ્રની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં શિવસેનાને મળેલા કુલ મતો (હારેલા ઉમેદવારો સહિત), શિંદે જૂથને ટેકો આપતા 40 ધારાસભ્યો દ્વારા મળેલા મતો 40 ટકા આવે છે જ્યારે મતો ઉદ્ધવ ઠાકરે જૂથને ટેકો આપતા 15 ધારાસભ્યો દ્વારા કરાયેલ મતદાન કુલ મતોના 12 ટકા આવે છે, એમ પંચે જણાવ્યું હતું.

Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version