News Continuous Bureau | Mumbai
Jammu Kashmir : જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) માં આતંકવાદ (Terrorist Activity) સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર સરકારે પાકિસ્તા (Pakistan) ની આતંકવાદી સંગઠનો માટે કામ કરતા ત્રણ કર્મચારીઓને બરતરફ કર્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળે છે કે આ ત્રણ અધિકારીઓ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોને માહિતી આપી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સેના દ્વારા આ ગતિવિધિઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ખુદ સત્તાવાળાઓ દ્વારા આતંકવાદને વેગ આપવામાં આવતો હોવાનું પ્રકાશમાં આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન
જમ્મુ અને કાશ્મીર સરકારે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે સક્રિય રીતે કામ કરવા બદલ ત્રણ અધિકારીઓને સેવામાંથી બરતરફ કર્યા છે. કાશ્મીર યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારી (PRO) ફહીમ અસલમ, મહેસૂલ અધિકારી મોરબત હુસૈન અને પોલીસ કોન્સ્ટેબલ અરશદ અહેમદ વિરુદ્ધ જમ્મુ-કાશ્મીર સરકારે કેસ દાખલ કર્યો છે. જમ્મુ અને કાશ્મીર સરકારે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો સાથે કામ કરવા અને આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પૂરા પાડવા, આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ધિરાણ આપવા અને અલગતાવાદી એજન્ડાને પ્રોત્સાહન આપવાના આરોપસર ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સરકારી સૂત્રોના હવાલાથી આ મોટી માહિતી બહાર આવી છે.
આ સમાચાર પણ વાંચો: Rajnath on PM Modi: રાજનાથ સિંહે કહ્યું.. ઓસ્ટ્રેલિયાના પીએમ વડાપ્રધાન મોદીને બોસ કહે છે… અમેરિકન રાષ્ટ્રપતિ ઓટોગ્રાફ લેવા માંગે છે’,