News Continuous Bureau | Mumbai
2008માં આ દિવસે સશસ્ત્ર આતંકવાદીઓએ મુંબઈ (Mumbai) માં એક ડઝન સ્થળો પર હુમલો કર્યો હતો. હુમલા (Terror Attack) માં ઓછામાં ઓછા 166 લોકો માર્યા ગયા અને 300થી વધુ ઘાયલ થયા.
આ પ્રસંગે અનેક હસ્તીઓએ શોક સંદેશા પાઠવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે.
On the anniversary of 26/11 Mumbai terror attacks, the nation remembers with gratitude all those we lost. We share the enduring pain of their loved ones and families. Nation pays homage to the security personnel who fought valiantly and made supreme sacrifice in the line of duty.
— President of India (@rashtrapatibhvn) November 26, 2022
પીડિતોને યાદ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટર પર કહ્યું છે કે , “આતંકવાદ માનવતા માટે ખતરો છે. આજે, 26/11ના રોજ, વિશ્વ તેના પીડિતોને યાદ કરતા ભારત સાથે જોડાય છે. જેમણે આ હુમલાનું આયોજન કર્યું હતું અને તેની દેખરેખ રાખી હતી તેઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. અમે વિશ્વભરના આતંકવાદના દરેક પીડિત માટે આના ઋણી છીએ.”
Terrorism threatens humanity.
Today, on 26/11, the world joins India in remembering its victims. Those who planned and oversaw this attack must be brought to justice.
We owe this to every victim of terrorism around the world. pic.twitter.com/eAQsVQOWFe
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 26, 2022
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે 14 વર્ષ પહેલાં આ દિવસે મહાનગર પર હુમલો કરનારા આતંકવાદીઓ સામે લડતી વખતે તેમના જીવનની આહુતિ આપનારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓએ દક્ષિણ મુંબઈમાં પોલીસ કમિશનર ઑફિસના પરિસરમાં શહીદોના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જ્યાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, પ્રધાન દીપક કેસરકર, મુખ્ય સચિવ મનુ કુમાર શ્રીવાસ્તવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસાલકર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: 26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?
શું આજે મુંબઇ સુરક્ષિત છે ?
મુંબઈ શહેર પર આતંકવાદી હુમલાનો ભય હર હંમેશ રહેલો છે. આનું કારણ એ છે કે મુંબઈ શહેર એ આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર છે તેમ જ ભારત દેશની આર્થિક રાજધાની છે. જેને દેશ બહારના તત્વો નુકસાન પહોંચાડવા માંગે છે. મુંબઈ શહેર ના પોલીસ મુખ્યાલય ને દર બે કે ત્રણ મહિના પછી ધમકીના ફોન આવતા હોય છે. જોકે પહેલા અને આજની પરિસ્થિતિમાં ઘણો તફાવત છે. હવે પોલીસ ફોર્સને સુરક્ષા યંત્રણા પાસે પહેલાં કરતાં બહેતર સાધનો છે તેમજ પોલીસ વિભાગ વધુ સજ્જ છે.
ચિંતાની વાત એ છે કે ભારત ના પાડોશી દેશો જે આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન બની ગયા છે તેમની મેલી મુરાદ ને કારણે મુંબઈ શહેર પર હંમેશા ખતરો મંડરાયો છે.