News Continuous Bureau | Mumbai
દેશ આઝાદી(Independece)ના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે મોદી સરકાર(Modi govt) 'આઝાદી કા અમૃત મહોત્સવ'(Azadi Ka Amrit Mahotsav) કાર્યક્રમ અને 'હર ઘર તિરંગા' (Har Ghar Abhiyan)અભિયાન માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ અંતર્ગત 3 ઓગસ્ટના સંસદના સભ્યોએ મોટરસાઈકલ પર સવાર થઈને 'તિરંગા યાત્રા'(Tiranga Yatra) કાઢી હતી. દરમિયાન આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Union Minister Smriti Irani) સ્કૂટી ચલાવતા જોવા મળ્યા હતા. જેનું આયોજન લાલ કિલ્લા(Red Fort)થી લઈને અને વિજય ચોક(Vijay Chowk) સુધી કરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન- રણમાં ભારતીય જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો- જુઓ અદભુત વિડીયો
આ તિરંગા યાત્રા પછી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના સહયોગી મંત્રી ભારતી પવાર(Bharti Pawar)ને તેમની સ્કૂટી પર સંસદ ભવન સુધી લિફ્ટ આપી હતી. તેમણે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું કે "તિરંગા યાત્રા સાથે દિવસની શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતી પવાર તાઈ સાથે ઓફિસ માટે નીકળ્યા." જુઓ વિડીયો..