ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભારતમાં કોરોનાની વિરુદ્ધ રસીકરણ અભિયાન દરરોજ નવા સ્તરને આંબી રહ્યું છે.
સોમવારે દેશમાં એક દિવસમાં ભારતમાં 1 કરોડ 5 લાખ 76 હજાર 296 રસી આપવામાં આવી છે.
માત્ર 11 દિવસની અંદર આ ત્રીજી વાર છે. જ્યારે દેશમાં એક દિવસમાં એક કરોડથી વધારે લોકોને રસી લગાવવામાં આવી છે.
અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 69.72 કરોડ લોકો કોરોનાની વિરુદ્ધ રસી મેળવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરીથી દુનિયાનો સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ શરુ થયો હતો. જે અંતર્ગત ચરણબદ્ધ રીતે નાગરિકોને રસી આપવામાં આવી હતી.

Leave a Reply