News Continuous Bureau | Mumbai
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુની યોગ્ય દિશા(direction) હોય છે. જો તે વસ્તુને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે, જ્યારે યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો તે તમારા ઘરને ખુશીઓથી ભરી શકે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે ઘરમાં ન રાખવી જોઈએ અને તેના કારણે તમારે આર્થિક સંકટનો(financial crisis) સામનો કરવો પડી શકે છે.આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે. જો કે ઘણી વખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. વાસ્તુશાસ્ત્ર (vastu shastra)અનુસાર ઘણી વખત નાની ભૂલ, જેનું ધ્યાન પણ ન જાય તે આપણી પ્રગતિને રોકી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ ઘરમાં બિલકુલ ન રાખવી જોઈએ.
1. જુના છાપા
વાસ્તુ કહે છે કે ઘરમાં જૂના છાપા (old news papers) ન રાખવા જોઈએ. કારણ કે ધૂળ અને માટીના કારણે ઘરમાં આર્થિક મુશ્કેલી આવી શકે છે. એટલા માટે કહેવાય છે કે ઘરમાં છાપા ને સંઘરી ના રાખો.
2. જૂના પગરખાં – જૂના ચંપલ
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ફાટેલા ચપ્પલ (old shoes)કે જૂતા ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં પરિવારને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ તેની આર્થિક સ્થિતિ પર પણ ખરાબ અસર પડે છે.
3. બંધ પડેલી અથવા તૂટેલી ઘડિયાળ
ઘડિયાળ ખરાબ થઈ ગયા પછી તેને ઘરમાં ન રાખવી જોઈએ. તે જ સમયે, જો ઘડિયાળ(clock) નો કાચ તૂટે છે, તો તેને તરત જ ઠીક કરો. આ તમારા કામમાં અવરોધો પેદા કરે છે.
4. જુના કે નકામા તાળાઓ
ઘરમાં ક્યારેય જૂના ખરાબ તાળા(lock) ન રાખો. કારણ કે વાસ્તુ કહે છે કે ખરાબ તાળાઓ પ્રગતિને અવરોધે છે. કાં તો તે લોક ને રીપેર કરાવો અથવા તો તેને ફેંકી દો.
5. જુના કે ખરાબ ઇલેક્ટ્રોનિક ઉપકરણ
ખરાબ ચાર્જર, કેબલ, બલ્બ જેવી વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા(negative energy) આવે છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. તેથી, તરત જ ઘરમાં ખામીયુક્ત ઉપકરણોને દૂર કરો.
આ સમાચાર પણ વાંચો : ક્યાંક તમે પણ મંગળવારે આ કામ તો નથી કરતાને જો કરતા હોવ તો થઇ જાવ સાવધાન-નહીં તો થશે મોટું નુકસાન-જાણો તેનાથી બચવા શું કરવું જોઈએ