News Continuous Bureau | Mumbai
ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો સુંદર દિવસ રક્ષાબંધન(Rakshabandhan) ટૂંક સમયમાં આવી રહ્યો છે. ગ્રહોના સેનાપતિ મંગળે 27 જૂને મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે રાહુ આ રાશિમાં પહેલેથી જ બેઠો હતો. આવી સ્થિતિમાં બંને ગ્રહો એક જ રાશિમાં મળવાના કારણે અંગારક યોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો(Hindu shastra) અનુસાર આ એક અશુભ સંયોગ છે. જ્યોતિષના મતે 10 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં અંગારક યોગ રહેશે અને બીજા દિવસે 11 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર પણ છે. આ રીતે, આ યોગ કેટલીક રાશિઓ માટે અશુભ પરિણામ લાવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે અંગારક યોગના કારણે 4 રાશિના લોકોએ રક્ષાબંધન સુધી ખૂબ કાળજી રાખવી પડશે.જ્યોતિષના(Jyotish) મતે આ યોગ ખાસ કરીને ચાર રાશિઓ પર નકારાત્મક અસર કરશે. તેથી આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો તમને જણાવીએ કે કઈ ચાર રાશિવાળાઓએ રક્ષાબંધન સુધી સાવધાન રહેવું જોઈએ.
1. મેષ
ગ્રહોના સેનાપતિ મંગળ મેષ રાશિમાં આવ્યો છે. રાહુ અને મંગળના સંયોગથી મેષ રાશિમાં અંગારક યોગ બની રહ્યો છે. તેથી, આ રાશિના લોકોને રક્ષાબંધન સુધી સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે, આ રાશિના લોકોનું વર્તન તેમના માટે મુશ્કેલી (problem)ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ઝઘડાથી દૂર રહો. તેમજ બીજા નું વાહન માંગી ને ચલાવવાની ભૂલ ન કરો.
2. વૃષભ
મેષ રાશિ સિવાય 10 ઓગસ્ટ સુધી વૃષભ રાશિના લોકોને પણ સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. અંગારક યોગ અકસ્માતની(accident) શક્યતાઓ વધારશે. બીજાની બાબતોમાં દખલ કરવાથી નુકસાન થશે. આ સાથે વૃષભ રાશિના લોકોએ પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. ન તો કોઈની પાસેથી ઉધાર લેવું અને ન કોઈને લોન આપવી. આ દરમિયાન, જે નાણાકીય વ્યવહારો થયા છે તે લાંબા સમય સુધી અટકી શકે છે.
3. કર્ક
મંગળ અને રાહુના સંયોગથી બનેલો યોગ પણ કર્ક રાશિના લોકો માટે અશુભ રહેશે. કર્ક રાશિના લોકોએ પણ રક્ષાબંધન સુધી સાવધાન રહેવું જોઈએ. અંગારક યોગ ક્રોધ અને બેકાબૂ વાણીનું કારણ બની શકે છે. આ સમયગાળા દરમિયાન થયેલા નુકસાનની (loss)ભરપાઈ કરવી ખૂબ મુશ્કેલ હશે. ઈજા થવાથી બચો. વાહન સાવધાનીથી ચલાવો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડશે. ગાયને લીલો ચારો ખવડાવો.
4. તુલા
મંગળ અને રાહુની યુતિના કારણે અંગારક યોગ બની રહ્યો હોવાથી તુલા રાશિના લોકોએ પણ સાવધાન રહેવું પડશે. તેઓએ 10 ઓગસ્ટ સુધી સાંભળી ને રહેવું પડશે. તમારા વિવાહિત જીવનમાં (married life)મુશ્કેલી આવી શકે છે. ઘરમાં લડાઈનું વાતાવરણ બની શકે છે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે. કરિયરના મોરચે પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોની એકાગ્રતામાં ખલેલ પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ઓગસ્ટમાં શુક્ર ગ્રહ નું કર્ક રાશિમાં ગોચર આ રાશિઓના બદલી નાખશે ભાગ્ય-થશે ધનલાભ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે