અક્ષય કુમાર પાસે છે કરોડોની સંપત્તિ, તેમ છતાં તે પુત્ર આરવને ગણીને પૈસા આપે છે; જાણો તેની પાછળ નું કારણ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 નવેમ્બર  2021

બુધવાર

 

બોલિવૂડના જાણીતા એક્ટર અક્ષય કુમાર પણ દેશના સૌથી ધનાઢ્ય કલાકારોમાંથી એક છે, તે બોલિવૂડમાં એકમાત્ર એવા અભિનેતા છે જેઓ એકસાથે વાર્ષિક 4 થી 5 ફિલ્મો કરે છે, તેઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે તેમના ચાહકો ઘણા બધા છે. તેને પૈસાની પણ કોઈ  કમી નથી, તેની દિલધડક ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે! આ બધું હોવા છતાં, તેને ખૂબ જ શિસ્તબદ્ધ જીવન જીવવું ગમે છે, તે સવારે 4:00 વાગ્યે ઉઠે છે અને સખત મહેનત કરે છે, તે ક્યારેય મોડી રાતની પાર્ટીમાં પણ જતા નથી, એટલું જ નહીં, પરંતુ શૂટિંગ પછી ઘરે આવીને તે તેનો સમય તેના પરિવાર સાથે  વિતાવે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે તેના પરિવારને કેટલો પ્રેમ કરે છે, તે દરરોજ તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને તેના બાળકો સાથે કોઈને કોઈ તસવીરો શેર કરતો રહે છે!

અક્ષય કુમાર ભલે ગમે તેટલો મોટો સુપરસ્ટાર હોય પણ તે પોતાના ઘરમાં પોતાના બાળકો સાથે એક સામાન્ય માનવી જેવો વ્યવહાર કરે છે, તે પોતાના બાળકોને સામાન્ય બાળકોની જેમ ઉછેરવાનું પણ પસંદ કરે છે, તેથી અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બંને તેમના બાળકોની સંભાળ રાખે છે. જ્યારે પણ તેની પત્ની ટ્વિંકલ ખન્નાને કોઈ કામના કારણે બહાર જવાનું થાય ત્યારે અક્ષય કુમાર પોતાના કામ પતાવી ને વેહલા ઘરે આવે છે અને બાળકો ની સંભાળ રાખે છે અક્ષય કુમારને બે બાળકો છે પુત્રનું નામ આરવ અને પુત્રીનું નામ નિતારા છે. એક ઈન્ટરવ્યુમાં અક્ષયે ખુલાસો કર્યો કે તેનો પુત્ર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને આરવ લોકોને તે અક્ષય કુમારનો પુત્ર હોવાનું જણાવવાનું પસંદ નથી કરતો.

AR રહેમાનની દીકરી ખતિજા રહેમાને તેના પિતાનું માથું ગર્વથી ઊંચું કર્યું, જીત્યો આટલો મોટો એવોર્ડ; જાણો વિગત

આરવ તેના પિતાની જેમ ખૂબ જ સ્માર્ટ અને ફિટ છે. આરવે મુંબઈના જુહુમાં આવેલી ઈકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે કુકિંગનો કોર્સ પણ કર્યો છે, આરવે તેની ટ્રેનિંગ લંડનમાં લીધી છે. આરવને માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ મળ્યો છે, ત્યારબાદ પહેલીવાર આરવને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરવાનો મોકો મળ્યો, આ બતાવે છે કે અક્ષય કુમાર પોતાના બાળકોને સમજાવે છે કે તે દરેક કામ પોતાની મહેનતથી કરે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર પોતાના પુત્ર આરવને પણ પૈસા ગણીને આપે છે. આ જ કારણ છે કે તેઓ તેમના બાળકોને પૈસાનું મહત્વ જણાવવા માંગે છે. જો આપણે તેની પુત્રીની વાત કરીએ તો તેની પુત્રી નિતારાને નાની ઉંમરથી પુસ્તકોનો ખૂબ શોખ છે, તેને રામાયણથી લઈને પરી સુધીની વાર્તા પુસ્તકોમાં વાંચવી ગમે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More