સામંથા રૂથ પ્રભુથી અલગ થયા બાદ પહેલીવાર નાગા ચૈતન્ય છૂટાછેડા પર ખુલીને બોલ્યા, કહી આ વાત; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

શુક્રવાર

અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક પોસ્ટ શેર કરીને છૂટાછેડાની જાહેરાત કરી હતી. નાગા ચૈતન્ય અને સામંથાએ તેમના ચાર વર્ષના લગ્નજીવનના અંત વિશે માહિતી શેર કરવા માટે 2 ઓક્ટોબરના રોજ એક નિવેદન બહાર પાડ્યું હતું. હવે અભિનેતા નાગા ચૈતન્યએ પ્રથમ વખત પૂર્વ પત્ની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુથી અલગ થવાનું કારણ જાહેર કર્યું છે.તેની આગામી ફિલ્મ બંગારાજુના પ્રમોશન માટે મીડિયા સાથે વાતચીત કરતી વખતે, નાગા ચૈતન્યએ તેના છૂટાછેડા પર કહ્યું, “અલગ થવું ઠીક હતું. અમારા બંનેના અંગત સુખ માટે આ એક પરસ્પર નિર્ણય છે. જો તેઓ ખુશ છે તો હું ખુશ છું. તેથી છૂટાછેડા એ યોગ્ય નિર્ણય છે."નાગા ચૈતન્યનો આ જવાબ સાંભળીને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ગયા વર્ષે, બંનેએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં લખ્યું હતું, 'અમારા તમામ શુભચિંતકોને. ઘણી વિચાર-વિમર્શ કર્યા પછી, સેમ અને મેં પતિ અને પત્ની તરીકે અલગ-અલગ રસ્તે જવાનું નક્કી કર્યું છે.એક દાયકાથી વધુ સમયથી અમારા સંબંધના મૂળમાં રહેલી મિત્રતા માટે અમે ભાગ્યશાળી છીએ અને અમને વિશ્વાસ છે કે અમારી આ મિત્રતા હંમેશ માટે જળવાઈ રહેશે. અમે અમારા ચાહકો, શુભેચ્છકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમને ટેકો આપે અને આગળ વધવા માટે અમને જરૂરી ગોપનીયતા આપો. સહારો આપવા બદલ આપનો આભાર."

બીજી વખત કોરોનાનો શિકાર બની ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ની આ પ્રખ્યાત અભિનેત્રી; જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

પરિવારની સંમતિ બાદ બંનેએ પોતાની મરજીથી ગોવામાં ભવ્ય લગ્ન કર્યા હતા. 2017માં આ લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ હતી કારણ કે તેમાં પાણીની જેમ પૈસા વેડફાયા હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને આ પ્રેમ તેમની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે પરંતુ સપ્ટેમ્બરમાં આ સમાચારે બધાને હચમચાવી દીધા હતા. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એવા અહેવાલો આવવા લાગ્યા હતા કે બંને વચ્ચે કંઈક બરાબર નથી.અને ઓક્ટોબર માસ સુધીમાં આ વાત સાચી સાબિત થઈ હતી. લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા, સામંથા અને નાગાએ છૂટાછેડાની જાહેરાત કરી અને ચાહકોને ચોંકાવનારા સમાચાર આપ્યા. પરંતુ બંને વચ્ચે કોઈ કારણસર છૂટાછેડા થયા, તે હજુ સુધી જાણી શકાયું નથી. બંને અને તેમના પરિવારજનોએ પણ આ અંગે મૌન સેવી લીધું છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More