Adipurush: AICWA એ આદિપુરુષ વિવાદમાં અમિત શાહને લખ્યો પત્ર, ઓમ રાઉત અને પ્રોડક્શન ટીમ સામે FIRની માંગણી

Adipurush: ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુંબઈ પોલીસને પત્ર લખ્યો છે.

by Akash Rajbhar
Adipurush: AICWA writes to Amit Shah in Adipurush controversy, demands FIR against Om Raut and production team

News Continuous Bureau | Mumbai

Adipurush: ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ સામે વિવાદો ઓછા થવાનુ નામ નથી લઈ રહ્યા. મુખ્ય ભૂમિકામાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત, આ ફિલ્મ ખરાબ VFX, વિવાદાસ્પદ સંવાદો અને કોસ્ચ્યુમ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને લેખકો શાબ્દિક રીતે પોતાના બચાવો કરી રહ્યા છે. આ દરમિયાન હવે ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ (All India Cine Workers Association) એ પણ આ ફિલ્મ સામે બળવો પોકાર્યો છે.

ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) અને મુંબઈ પોલીસ (Mumbai Police) ને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેણે ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતા ભૂષણ કુમાર (Bhushan Kumar), નિર્દેશક ઓમ રાઉત (Om Raut) અને લેખક મનોજ મુન્તાશીર (Manoj Muntashir) વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ પત્ર પર એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તા (Suresh Shyam Lal Gupta) ની સહી છે.

આ સમાચાર પણ વાંચો : Manipur Violence: KYKLના 12 હુમલાખોરોની ઢાલ બન્યા 1500 લોકો

આ ફિલ્મે હિન્દુઓ અને ભગવાનની પુજા કરનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

આ પત્ર 16મી જૂન 2023ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘આદિપુરુષ’ તરફ તમારું ધ્યાન દોરવા માટે લખી રહ્યા છીએ.આ ફિલ્મે હિન્દુઓ અને ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની પૂજા અને પ્રાર્થના કરનારાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમજ તેમાં ભગવાન શ્રીરામ અને સમગ્ર રામાયણને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.

નિર્માતાઓ મલ્ટિપ્લેક્સમાં ડિસ્કાઉન્ટવાળી ટિકિટો વેચીને જ પૈસા કમાવવા માગે છે, પરંતુ આ ફિલ્મ રામાયણમાંની શ્રદ્ધા વિશે ખોટો સંદેશ ફેલાવી રહી છે.. ટી-સિરીઝ અને નિર્માતાઓ, લેખક મનોજ મુન્તાશીર, દિગ્દર્શક ઓમ રાઉત દ્વારા રામાયણની મજાક ઉડાવવામાં આવી છે. તેથી, ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને તેના પત્રમાં કહ્યું છે કે તેમની સામે કેસ નોંધવો જોઈએ.

દરમિયાન, ‘ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન’ એ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને ફિલ્મ આદિપુરુષ પર તાત્કાલિક પ્રતિબંધની માંગ કરી હતી.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More