News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ ચર્ચામાં છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ છે. લગભગ 22 વર્ષ પછી ‘ગદર’નો બીજો ભાગ આવવાનો છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ફિલ્મને લઈને નવો વિવાદ શરૂ થયો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ‘ગદર 2’ પર નવો હંગામો થયો છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો છે.
Headline – 1 – ગદર 2 ના સીન પર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ઉઠાવ્યો વાંધો
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ ગુરુદ્વારાના પરિસરમાં સની દેઓલ અભિનીત ફિલ્મ ‘ગદર 2’ના એક દ્રશ્યના શૂટિંગ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ગુરુદ્વારા ના જનરલ સેક્રેટરી ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે ફિલ્મના હીરો અને હિરોઈનને ગુરુદ્વારામાં જોઈ શકાશે જે આપત્તીજનક હતું . તેણે ફિલ્મના રોમેન્ટિક સીનને ગુરુદ્વારામાં શૂટ કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો.ગ્રેવાલે ટ્વીટમાં લખ્યું, “બંને કલાકારો પર ફૂલની પાંખડીઓ વરસાવવામાં આવી રહી છે. ઉપરાંત, ગતકા (એક શીખ માર્શલ આર્ટ) સિંહ તેમની આસપાસ પ્રદર્શન કરતા જોઈ શકાય છે.” SGPC જનરલ સેક્રેટરીએ કહ્યું, “અમે કહેવા માંગીએ છીએ કે આવી તસવીરો (વિડિયો ક્લિપ્સ) જે બહાર આવી રહી છે તે શીખ સમુદાય માટે. શરમજનક છે.”નારાજગી વ્યક્ત કરતા ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું કે સની દેઓલ અને ફિલ્મના નિર્દેશકે સમજી લેવું જોઈએ કે ગુરુદ્વારામાં આવા સીન શૂટ કરવાની કોઈ જગ્યા નથી. આ સમગ્ર સમુદાય માટે શરમજનક છે. આ ટ્વીટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. જોકે, આ અંગે સત્તાવાર નિવેદન જારી કરીને ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા વતી સ્પષ્ટતા આપવામાં આવી છે.
.@BJP4India ਦੇ ਮੈਂਬਰ ਪਾਰਲੀਮੈਂਟ ਸਨੀ ਦਿਉਲ ਵੱਲੋਂ ਗਦਰ-2 ਫ਼ਿਲਮ ਦੇ ਇਤਰਾਜ਼ਯੋਗ ਦ੍ਰਿਸ਼ ਗੁਰਦੁਆਰਾ ਸਾਹਿਬ ਦੀ ਹਦੂਦ ਅੰਦਰ ਫਿਲਮਾਉਣ ‘ਤੇ ਸਖ਼ਤ ਇਤਰਾਜ: ਭਾਈ ਗੁਰਚਰਨ ਸਿੰਘ ਗਰੇਵਾਲ
-ਗਤਕਾ ਕਰਨ ਵਾਲੀ ਟੀਮ ਦੀ ਕਾਰਵਾਈ ਵੀ ਇਤਰਾਜ਼ਯੋਗ @iamsunnydeol pic.twitter.com/hxdPMJhI2o— Shiromani Gurdwara Parbandhak Committee (@SGPCAmritsar) June 7, 2023
Headline – 2 – ગદર 2 ના નિર્દેશક અનિલ શર્મા એ આપી સ્પષ્ટતા
એસજીપીસી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગદર 2 ના વાંધાજનક દ્રશ્યને ગુરુદ્વારા સાહિબની સીમામાં શૂટ કરવા પર અમે સખત વાંધો ઉઠાવીએ છીએ.” મામલો વધતો જોઈને ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માએ આ અંગે સ્પષ્ટતા આપી અને ટ્વીટ કર્યું કે, ચંદીગઢના ગુરુદ્વારા સાહિબ ખાતે ગદર 2ના શૂટિંગને લઈને કેટલાક મિત્રોના મનમાં ગેરસમજ હતી..મારો ખુલાસો સામે છે. “‘સબ ધર્મ સંભવ, સબ ધર્મ સદભાવ’ એ હું શીખ્યો છું અને આ અમારા ગદર 2 યુનિટનો મંત્ર છે.નિવેદન અનુસાર, લીક થયેલા ફૂટેજ અંગત ફોનમાંથી લેવામાં આવ્યા છે અને સીનને યોગ્ય રીતે એડિટ કરવામાં આવ્યો નથી.
#Gadar2 ki Chandigarah gurudwara sahab mein hui shoot ko lekar kuch galatafahami kuch mitro ke man mein hui ..usko lekar mera spashtikaran prastut hai .. “sab dharm sambhav , sab dharm sadbhav” yahi siksha payi hai maine aur yahi hai hamari gadar2 ki unit ka mantra pic.twitter.com/X13d5gqrmi
— Anil Sharma (@Anilsharma_dir) June 8, 2023
આ સમાચાર પણ વાંચો: ઓમ રાઉત સાથેના કિસ અંગે ના વિવાદ વચ્ચે અભિનેત્રી કૃતિ સેનનની પોસ્ટ થઇ વાયરલ, કહી આ વાત