News Continuous Bureau | Mumbai
બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનિલ શર્મા આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. આ સિવાય ફિલ્મની લીડ એક્ટ્રેસ અમીષા પટેલે ડાયરેક્ટર અને પ્રોડક્શન હાઉસ પર ગેરવહીવટ અને લેપ્સનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન નિર્દેશક-નિર્માતા અનિલ શર્માએ એક મીડિયા સંસ્થા સાથેની વાતચીત દરમિયાન મૌન તોડ્યું હતું.
અમિષા પટેલ ના આરોપો પર અનિલ શર્મા એ કહી આ વાત
અનિલ શર્મા એ કહ્યું કે તેને ખબર નથી કે અમીષા આ બધું કેમ કહી રહી છે. આ મામલે ખુલાસો રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે, “હું એટલું જ કહેવા માંગીશ કે આ બધું જુઠ્ઠું છે. આમાંનું કંઈ સાચું નથી.” આ સાથે તેણે અભિનેત્રીનો આભાર માન્યો કારણ કે તેણે તેના પ્રોડક્શન હાઉસને પ્રખ્યાત કર્યું છે. અનિલે કહ્યું, “આનાથી મોટી વાત શું હોઈ શકે? અમારા નવા પ્રોડક્શન હાઉસને પ્રખ્યાત કરવા બદલ હું તેમનો આભાર માનું છું.”
આ સમાચાર પણ વાંચો : Tomato Price Hike: ટામેટાના ભાવ 160 રૂપિયા પ્રતિ કિલો, શું ખેડૂતોને ખરેખર ફાયદો મળી રહ્યો છે? વાસ્તવિકતા શું છે?
અમિષા પટેલે લગાવ્યો હતો આ આરોપ
વાસ્તવમાં, અમીષાએ આરોપ લગાવ્યો હતો કે ડિરેક્ટર-પ્રોડ્યુસર અનિલ શર્માના ગેરવહીવટને કારણે ભોજન, મુસાફરી અને રહેઠાણના બિલ સહિત અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. અભિનેત્રીએ આગળ આવવા અને પ્રોડક્શનની સમસ્યાઓને સુધારવા અને ફિલ્મને પૂર્ણ કરવાની ખાતરી આપવા બદલ ઝી સ્ટુડિયોનો પણ આભાર માન્યો.તેના ટ્વિટર હેન્ડલ પર, અમીષાએ ચંડીગઢના શેડ્યૂલ દરમિયાન ક્રૂ મેમ્બર્સને આવતી સમસ્યાઓને હાઇલાઇટ કરતી ચાર ટ્વિટ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે સની દેઓલ, અમીષા પટેલ સ્ટારર ‘ગદર 2’ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે.