જયારે અમિતાભ બચ્ચન પર હતી 90 કરોડની લોન, પરેશ રાવલે બિગ બીના સંઘર્ષના દિવસોને યાદ કરીને કહી આ વાત

અમિતાભ બચ્ચન ના પ્રશંશક માત્ર બહાર ના લોકો જ નહીં પરંતુ ઇન્ડસ્ટ્રી ની અંદર પણ તેમનો ઘણો ચાહકવર્ગ છે. આ વખતે બિગ બીના વખાણ કોઈ ચાહકે નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીના અન્ય એક દિગ્ગજ કલાકાર પરેશ રાવલ દ્વારા કરવામાં આવ્યા છે.તેમજ તેમને તેમના સંઘર્ષના દિવસો વિશે પણ જણાવ્યું છે. જાણો આ દિગ્ગજ કલાકારે સદીના મહાનાયક વિશે શું કહ્યું છે.

by Dr. Mayur Parikh
paresh rawal praised amitabh bachchan for paying back 90 crore rupees to landers

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર પરેશ રાવલે ( paresh rawal ) તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન ( amitabh bachchan )  વિશે ઘણી વાતો શેર કરી છે. પરેશ રાવલે બિગ બીના ઉત્તમ કામ અને અભિનય કૌશલ્ય તેમજ તેમના સ્વભાવની પ્રશંસા (  praised ) કરી હતી. 90ના દાયકામાં અમિતાભ બચ્ચન ખરાબ તબક્કામાંથી પસાર થયા તે સમયને યાદ કરતાં રાવલે કહ્યું કે બચ્ચને તે પરિસ્થિતિને ગરિમા સાથે સંભાળી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન પરેશ રાવલે કહ્યું કે શું કોઈએ વિચાર્યું હતું કે, “અમિતાભ બચ્ચન સાથે આવું થઈ શકે છે? તે શું હતો અને શું બની ગયો છે… તે એક ઉત્તમ ઉદાહરણ છે. તમે તેમની પાસેથી ઘણું શીખી શકો છો, ખાસ કરીને તેમની ગરીમા વિશે.”

કેવો છે અમિતાભ બચ્ચન નો સ્વભાવ

પરેશ રાવલે આગળ કહ્યું, “મને યાદ છે કે મેં એક વાર તેમને પૂછ્યું હતું. મેં તેને પૂછ્યું કે જ્યારે વસ્તુઓ મુશ્કેલ બને છે ત્યારે શું તે તેના પરિવાર પર વિશ્વાસ કરે છે. અને તેણે કહ્યું, ‘કેમ? તેમને તેમનું જીવન જીવવા દો. જુઓ, તેણે લોકોના ઘણા પૈસા દેવાના હતા, પરંતુ તેણે ક્યારેય કોઈની ખરાબ વાત કરી ન હતી. એકવાર નહીં. તે કાયદાનો આશરો લઈ શક્યો હોત, છૂટ મેળવી શક્યો હોત, પરંતુ તેણે દરેક વ્યક્તિને વળતર આપવાનું પસંદ કર્યું હતું. આ તેના સંસ્કારો છે. છેવટે તે હરિવંશરાય બચ્ચનનો પુત્ર છે. કેવો માનવી છે.’

આ સમાચાર પણ વાંચો:  Indian Post Payment Bank : પોસ્ટમાં ખાતું છે? બેંક દ્વારા ગ્રાહકોને જારી કરવામાં આવી છે વિશેષ સૂચનાઓ

પાઇ પાઇ નો મોહતાજ બની ગયા હતા અમિતાભ બચ્ચન

બચ્ચને આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કર્યો છે. 90ના દાયકામાં તેણે પોતાની એબીસીએલ કંપનીને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ કારણે તેમના પર 90 કરોડ રૂપિયાથી વધુનું દેવું હતું. 2000 ના દાયકાની શરૂઆતમાં, અમિતાભ બચ્ચનના સારા દિવસો પાછા આવવા લાગ્યા અને તેઓ ધીમે ધીમે નાણાકીય કટોકટીમાંથી બહાર આવવા લાગ્યા. ફિલ્મો સિવાય, અમિતાભ બચ્ચને ટીવીના મોટા ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરવાનું શરૂ કર્યું અને તેમની કિસ્મત બદલાવા લાગી.અમિતાભ બચ્ચને પોતાના ખરાબ સમય વિશે વાત કરી છે. તેણે કહ્યું હતું કે, “એક સમય એવો હતો કે જે લોકો મારી સાથે કામ કરવા માંગતા હતા, તેઓ ખરાબ સમયમાં આવ્યા અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. જ્યારે તમે આવી સમસ્યામાં હોવ ત્યારે તમને રાત્રે ઊંઘ આવતી નથી. આવી જ એક રાત્રે મેં મારી જાતને પૂછ્યું કે ‘હું કોણ છું’ અને સમજાયું કે હું અહીં અભિનય કરવા આવ્યો છું અને મારે તેને વળગી રહેવું જોઈએ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More