Wednesday, June 7, 2023

ફાઇનલ થયો લહેંગો, જેસલમેર નો બુક થયો પેલેસ બધું જ સેટ…જાણો ક્યારે લગ્નના બંધનમાં બંધાશે કિયારા-સિદ્ધાર્થ

લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલા સિદ્ધાર્થ અને કિયારા હવે એવી માહિતી સામે આવી રહી છે કે બંનેના લગ્નની તૈયારીઓ તેજ થઈ ગઈ છે.

by AdminZ
kiara advani and sidharth malhotra total net worth after wedding

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, જેઓ બી-ટાઉનના સૌથી પ્રિય પ્રેમી પંખીડા છે., તેઓ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારને કારણે હેડલાઇન્સમાં છે. ઘણીવાર એકબીજા સાથે જોવા મળતા સિદ્ધાર્થ અને કિયારાએ હજુ સુધી લગ્નના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, ત્યારે તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલી રહી છે. લાંબા સમયથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહેલા સિદ્ધાર્થ અને કિયારા હવે એવી માહિતી સામે આવી રહી છે કે બંનેના લગ્નની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નવા અહેવાલો અનુસાર, આ સ્ટાર કપલ આગામી 6ઠ્ઠી તારીખે લગ્ન કરવા જઈ રહ્યું છે. આ સાથે જ આ રિપોર્ટમાં ઘણી વધુ મહત્વની માહિતી શેર કરવામાં આવી છે, તો ચાલો જણાવી દઈએ કે કિયારા અને સિદ્ધાર્થ ક્યારે, ક્યાં અને કેવી રીતે એકબીજાના બનવાની તૈયારીમાં વ્યસ્ત છે.

 

આ તારીખે લગ્ન કરશે સ્ટાર કપલ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ એકબીજા સાથે લગ્ન કરશે. બંનેના લગ્નની ઉજવણી, લગ્ન પહેલા અને લગ્ન પછી ની સેરેમની 5 ફેબ્રુઆરી થી 8 ફેબ્રુઆરી સુધી ચાલશે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન સ્થળનો પણ ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, બંને જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લેશે. લગ્નમાં 100 થી 125 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં બી-ટાઉનની ઘણી મોટી હસ્તીઓ સામેલ છે. શાહરૂખ ખાનથી લઈને કરણ જોહર બંનેના લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની હલ્દી અને સંગીત સેરેમની 6 ફેબ્રુઆરીએ એટલે કે લગ્નના દિવસે જ થશે.

 

લગ્ન માટે બુક થયા આટલા રૂમ  

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કિયારા અને સિદ્ધાર્થના બિગ ફેટ વેડિંગ માટે લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે, જેનું રોજનું ભાડું લગભગ એકથી બે કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સાથે લગ્નમાં આવનાર મહેમાનોને લઈ જવા માટે 70થી વધુ લક્ઝરી વાહનોનું બુકિંગ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન માટે 4 ફેબ્રુઆરીથી સૂર્યગઢ પેલેસમાં મહેમાનો આવવાનું શરૂ થઈ જશે. અહેવાલો અનુસાર, જેસલમેરમાં લગ્ન પછી, કપલ મુંબઈમાં ભવ્ય લગ્ન રિસેપ્શનનું આયોજન કરશે, જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે, કિયારા તાજેતરમાં જ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. કિયારા અને મનીષ સાથે જોવા મળ્યા ત્યારથી લગ્નના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા છે. લોકોનું માનવું છે કે કિયારા તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેરવાની છે.

 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous