Friday, March 24, 2023

તુર્કી સીરિયામાં તબાહી વચ્ચે હવે ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી, ચારના મોત

ઇન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા જયાપુરા શહેર અને ઉત્તર માલુકુ રાજ્ય તેમજ પાપુઆ ન્યુ ગિનીના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત બીજા દિવસે બે અલગ-અલગ ભૂકંપના ઝટકા અનુભવાયા

by AdminH
Earthquake hits Indonesia, killing four as restaurant collapses

News Continuous Bureau | Mumbai

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે 16 હજારથી વધુ લોકોના મોત વચ્ચે ઈન્ડોનેશિયાની ધરતી પણ ધ્રુજી છે. ઇન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા જયાપુરા શહેર અને ઉત્તર માલુકુ રાજ્ય તેમજ પાપુઆ ન્યુ ગિનીના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત બીજા દિવસે બે અલગ-અલગ ભૂકંપના ઝટકા અનુભવાયા. લગભગ 19 મિનિટના અંતરે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા જયાપુરા અને પપુઆમાં 5.4 અને ઉત્તર માલુકુમાં 4.5 માપવામાં આવી છે. આ બંને ભૂકંપમાં ચાર લોકોના મોતના સમાચાર છે. 8 ફેબ્રુઆરીના રોજ બંને સ્થળોએ 4ની આસપાસની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

ઉત્તર મલુકુમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી

ઉત્તર મલુકુમાં આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે 6.09 વાગ્યે આવેલા ભૂકંપના આંચકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ સિટીથી લગભગ 160 કિલોમીટર દૂર હતું. જેના કારણે ભૂકંપની સપાટી પર વધુ અસર થઈ નથી.

જયાપુરામાં કેફે બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત

જયાપુરા શહેરમાં સવારે 6.28 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમમાં 10 કિમી દૂર હતું. ઇન્ડોનેશિયાની એજન્સી અનુસાર, 5.4 તીવ્રતાનો ભૂકંપ, જેનું કેન્દ્ર જયાપુરા શહેરથી પશ્ચિમમાં માત્ર 43 કિલોમીટરની ઊંડાઈમાં હતું, તેની સપાટી પર ભારે અસર જોવા મળી હતી અને ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી. જયાપુરાની ડિઝાસ્ટર રિલીફ એજન્સીના ચીફ અસેપ ખાલિદના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે એક કાફે બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે 2 થી 3 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા, જેના કારણે ડરના કારણે બહાર નીકળેલા લોકો લગભગ એક કલાક સુધી પોતાના ઘરે પાછા નહોતા ગયા.

આ સમાચાર પણ વાંચો :  પાકિસ્તાનની અર્થવ્યવસ્થા લોહીલુહાણ, હવે કંગાળ દેશનું નુકસાન ભરશે નાગરિકો, લાદવામાં આવશે 170 અબજ રૂપિયાનો ટેક્સ

જયાપુરા શહેરમાં આવે છે ઘણા ભૂકંપ

જમીનમાં ટેકટોનિક પ્લેટો વચ્ચે વધુ પડતી હિલચાલને કારણે જયાપુરા શહેરમાં ધરતીકંપ સામાન્ય વાત છે. ત્યાં 2 જાન્યુઆરીએ એક જ દિવસમાં 1,079 ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી 132 આંચકા લોકોએ અનુભવ્યા હતા. 

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous