News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ખાદ્યપદાર્થોથી લઈને વીજળી અને પેટ્રોલ સુધીના ભાવ આસમાને છે. પેટ્રોલની કિંમતો પહેલાથી જ ભડકે બળી રહી હતી ત્યારે સરકારે વિશેષ બજેટ સત્રમાં ફરીથી પેટ્રોલના ભાવમાં લગભગ 25 રૂપિયાનો વધારો કર્યો છે. પાકિસ્તાનની હાલત એટલી દયનીય છે કે ખુદ રક્ષા મંત્રીએ પણ સ્વીકાર્યું કે તેમનો દેશનું લગભગ દેવાળું ફૂંકાઈ ગયું છે.
દરમિયાન, જનરલ (ડીજી) મેજર જનરલ (આર) અતહર અબ્બાસે કહ્યું કે સૈન્ય સિવાય અન્ય સ્તરે ભારત સાથે વાતચીત ‘પાકિસ્તાનની જરૂરિયાત’ છે. અતહરે આ વાત કરાચી લિટરેચર ફેસ્ટિવલમાં ચર્ચા દરમિયાન કહી. પાકિસ્તાનને તેના જ લોકો ભારત સાથે સંબંધો સુધારવાની સલાહ આપી રહ્યા છે. પાકિસ્તાનના અર્થશાસ્ત્રી ડો.પરવેઝ તાહિરે પણ થોડા દિવસો પહેલા શાહબાઝ સરકારને લોકોને રાહત આપવા માટે ભારત સાથે વેપાર શરૂ કરવાની અપીલ કરી હતી.
‘ભારત સાથે વાત આપણા દેશની જરૂરત છે’
અબ્બાસે કહ્યું, ‘હાલમાં વાતચીત આપણા દેશની જરૂરિયાત છે. આગળ વધવાનો રસ્તો માત્ર સરકારનો જ નથી. જો તમે તેને સંપૂર્ણપણે સુરક્ષા સંસ્થા પર છોડી દેશો, તો ત્યાં કોઈ પ્રગતિ થશે નહીં. તે એક ડગલું આગળ અને બે ડગલું પાછળ લેવા જેવું હશે.’ તેમણે કહ્યું કે એક પહેલ થવી જોઈએ… જેમ કે ટ્રૅક II ડિપ્લોમસી જેમ કે મીડિયા, જેમ કે વેપાર અને વ્યાપારી સંસ્થાઓ, જેમ કે શિક્ષણ. તેઓ ભારતીય સમાજમાં વાતચીત કરી શકે છે અને પોતાનું સ્થાન બનાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન થાય તો કોણ હશે પીએમનો ચહેરો
પાકિસ્તાનીઓ માને છે ભારતને સુપર પાવર
અતહરે કહ્યું, ‘આનાથી ભારત સરકાર પર એ જોવાનું દબાણ આવશે કે લોકો શું ઈચ્છે છે. આ સમયની જરૂરિયાત છે, વાતચીત પાકિસ્તાનની જરૂરિયાત છે.’ તેમણે કહ્યું કે જો વિરોધ થશે તો પાકિસ્તાન આમાં અમેરિકા અને યુરોપને પણ સામેલ કરી શકે છે. અતહરને પૂછવામાં આવ્યું કે પડોશીઓ સાથે કેટલી જલ્દી વાતચીત શક્ય બનશે? જવાબમાં તેમણે કહ્યું, ‘તમે તમારા પાડોશીને બદલી શકતા નથી. આખરે, તેણે ટેબલ પર આવવું પડશે, ભલે તેને લાગે છે કે તે એક સુપર પાવર છે.’
Join Our WhatsApp Community