News Continuous Bureau | Mumbai
Indian Railways Update: જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. રેલવે તરફથી પ્રાપ્ત માહિતી મુજબ જો તમારી પાસે આધાર કાર્ડ (AAdhar card) છે, તો હવે રેલવે આ મુસાફરોને મોટી સુવિધા આપી રહી છે. IRCTC દ્વારા પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે.
કેવાયસી અપડેટ કરાવવુ પડશે
હવે તમારે તમારું KYC અપડેટ કરવું પડશે. તેના પછી કન્ફર્મેશન લિંક પર ક્લિક કરીને માહિતી આપવાની રહેશે. હવે તમારે લોગ આઉટ કરવું પડશે અને IRCTC વેબસાઇટ પર ફરીથી લોગિન કરવું પડશે.
IRCTC કરો લોગિન
તેના માટે તમારે પહેલા તમારા IRCTC ID થી લોગિન કરવું પડશે. અહીં હોમ પેજ પર, તમારે ‘માય એકાઉન્ટ’ વિકલ્પમાં ‘લિંક યોર આધાર’ પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારે તમારા આધાર કાર્ડમાં દાખલ કરેલી માહિતી દાખલ કરવી પડશે, જેમ કે નામ આધાર નંબર અને વર્ચ્યુઅલ આઈડી. તેના પછી ચેક બોક્સમાં જઈને ‘સેન્ડ OTP’ સિલેક્ટ કરવાનું રહેશે.
આ સમાચાર પણ વાંચો: હોકી: ભારત નો પાછલી 13 મેચથી સતત ચાલતો હારનો દોર થયો બંધ, ઓસ્ટ્રેલિયાને 4-3થી હરાવ્યું
રેલવેએ કર્યું ટ્વીટ
રેલવે મંત્રાલયે પણ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે 24 ટિકિટ બુક કરવાની સુવિધા આપી રહી છે. જો યુઝર આઈડી આધાર સાથે લિંક છે, તો એક મહિનામાં ટિકિટ બુક કરવાની મર્યાદા વધારી દેવામાં આવી છે.
આધાર સાથે કરો લિંક
આ સુવિધાનો લાભ લેવા માટે તમારું આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી છે. જો આધાર લિંક નથી તો તમે માત્ર 12 ટિકિટ બુક કરાવી શકો છો. તે જ સમયે અગાઉ જેમનું ID આધાર સાથે લિંક નહોતું તેઓ ફક્ત 6 ટિકિટ બુક કરી શકતા હતા.
24 ટિકિટ બુક કરો
આપને જણાવી દઈએ કે IRCTC એ જણાવ્યું છે કે જો તમારું આધાર કાર્ડ પણ IRCTC સાથે લિંક હશે તો તમને દર મહિને 24 આરક્ષિત ટિકિટ બુક કરવાની સુવિધા મળશે.
આ સમાચાર પણ વાંચો: જાણી લો / ટુ વ્હીલર ઈન્શ્યોરન્સ લેતા સમયે આ બાબતનું રાખો ખાસ ધ્યાન, નહીંતર આવી શકે છે મોટી સમસ્યા