News Continuous Bureau | Mumbai
વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રદર્શિત કરવા માટે રેલ્વે તેની ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન શરુ કરશે. ખાસ પ્રવાસ ગરવી ગુજરાત શરૂ કરવા માટે રેલ્વે તેની ભારત ગૌરવ ડીલક્સ એસી પ્રવાસી ટ્રેન ચલાવશે. તે આઠ દિવસની મુસાફરી દરમિયાન લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રવાસી ટ્રેનનું પ્રથમ સ્ટોપેજ કેવડિયા ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બનશે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનની શરૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ ‘ખો અપના દેશ’ અનુરૂપ છે.
28 ફેબ્રુઆરીથી આઠ દિવસની ટૂર શરુ
IRCTC દ્વારા સંચાલિત આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીએ દિલ્હી સફદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની ટૂર પર નીકળશે. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનો પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે. આ ટ્રેન ટૂર પેકેજ સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત કેન્દ્રની યોજના એક ભારત શ્રેષ્ઠ ભારતની તર્જ પર તૈયાર કરવામાં આવ્યું છે.
આ પ્રકારની રહેશે અત્યાધુનિક સુવિધા
અત્યાધુનિક ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં બે ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સ, આધુનિક રસોડું, કોચમાં શાવર ક્યુબિકલ્સ, સેન્સર આધારિત વૉશરૂમ ફંક્શન, ફૂટ મસાજર્સ વગેરે સહિતની આકર્ષક સુવિધાઓ છે.
આ સમાચાર પણ વાંચો : મુસ્લિમ માતાની સંપત્તિ પર હિંદુ સંતાનનો અધિકાર નહીં, કોર્ટે વારસાના કેસમાં આપ્યો ચૂકાદો
સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ટ્રેનો બે પ્રકારના આરામ આપે છે, ફર્સ્ટ અને સેકન્ડ એસી. ટ્રેનમાં દરેક કોચ માટે સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે અને આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.
આ રહેશે સુવિધા પ્રમાણે ટિકિટ
એસી 2 ટાયર માટે વ્યક્તિ દીઠ રૂ. 52,250 થી શરૂ કરીને એસી 1 કેબિન માટે રૂ. 67,140 પ્રતિ વ્યક્તિ અને એસી 1 (કૂપ) માટે રૂ. 77400 પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધ છે.
મુસાફરીનો વીમો પણ હશે
IRCTC ટુરિસ્ટ ટ્રેન એ આઠ દિવસનું સંપૂર્ણ ટૂર પેકેજ હશે અને કિંમત શ્રેણીમાં ટ્રેનની મુસાફરી, એસી હોટલમાં રાત્રિ રોકાણ, ભોજન બસોમાં જોવાલાયક સ્થળો, મુસાફરી વીમો અને માર્ગદર્શિકા સેવાઓ વગેરેનો સમાવેશ થશે. આરોગ્ય માટે જરૂરી તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવશે અને IRCTC મહેમાનોને સલામત અને યાદગાર અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે.
આ સમાચાર પણ વાંચો : હિન્દુત્વ બંધારણ વિરુદ્ધ, હત્યા, હિંસાનું સમર્થન કરે છે મનુવાદ, સિદ્ધારમૈયાના નિવેદન પર ફસાઈ કોંગ્રેસ
Join Our WhatsApp Community