જાણો ભારતના એ પ્રાચીન તેર વિદ્યાપીઠ વિશે જ્યાં વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા.

by Dr. Mayur Parikh

ભારતમાં વૈદિક કાળથી શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વૈદિકકાળ પછી જેમ-જેમ સમય આગળ વધતો ગયો. ગુરુકુળ અને આશ્રમના રૂપમાં શિક્ષણ કેન્દ્રો ખોલવામાં આવ્યા. ભારતની શિક્ષણ વ્યવસ્થા પણ વધુ સમૃદ્ધ બની. ગુરુકુળ અને આશ્રમોથી શરૂ થયેલી શિક્ષણની યાત્રા આગળ વધી અને વિશ્વવિદ્યાલયોમાં રૂપાંતરિત થઈ. પ્રાચીન સમયમાં, સમગ્ર ભારતમાં 13 મોટા વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી હતી.

8મી સદી અને 12મી સદીની વચ્ચે, ભારત સમગ્ર વિશ્વમાં શિક્ષણનું સૌથી મોટું અને પ્રખ્યાત કેન્દ્ર હતું. ગણિત, જ્યોતિષ, ભૂગોળ, તબીબી વિજ્ઞાન તેમજ અન્ય વિષયો શીખવવામાં ભારતીય વિશ્વવિદ્યાલયોનો કોઈ અન્ય વિકલ્પ નહોતો.

જોકે આજકાલ મોટાભાગના લોકો માત્ર બે પ્રાચીન વિશ્વવિદ્યાલયો વિશે જાણે છે, પ્રથમ નાલંદા અને બીજી તક્ષશિલા છે. આ બંને વિશ્વવિદ્યાલયો ખૂબ પ્રખ્યાત હતી. તેથી જ આજે પણ લોકો સામાન્ય રીતે તેમના વિશે જાણે છે. પરંતુ આ સિવાય અગિયાર એવી વિશ્વવિદ્યાલયો હતી. જે તે સમયે શિક્ષણના મંદિરો હતા. ચાલો, આજે જાણીએ પ્રાચીન વિશ્વવિદ્યાલયો અને તેમને લગતી કેટલીક ખાસ બાબતો વિશે.

AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત

1. નાલંદા વિશ્વવિદ્યાલય

 નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણનું સૌથી મહત્વનું અને પ્રખ્યાત કેન્દ્ર હતું. આ વિશ્વવિદ્યાલય વર્તમાન બિહારના પટના શહેરથી 88.5 કિ.મી. દક્ષિણ-પૂર્વ અને રાજગીરથી 11.5 કિ.મી. દૂર સ્થિત હતી. આ મહાન બૌદ્ધ વિશ્વવિદ્યાલયના ખંડેરો તેની પ્રાચીન વૈભવનો ઘણો ખ્યાલ આપે છે.

આ વિશ્વવિદ્યાલય વિશેની માહિતી સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની પ્રવાસીઓ હ્યુએન ત્સાંગ અને ઇટીસિંગના પ્રવાસ વર્ણનોમાંથી મળે છે. 10,000 વિદ્યાર્થીઓને ભણાવતા 2,000 શિક્ષકો હતા. આ વિશ્વવિદ્યાલયની સ્થાપનાનો શ્રેય ગુપ્ત શાસક કુમારગુપ્ત પ્રથમ (450-470)ને જાય છે. ગુપ્ત રાજવંશના પતન પછીના શાસક રાજવંશો  પણ તેની સમૃદ્ધિમાં ફાળો આપતા રહ્યા, તેને મહાન સમ્રાટ હર્ષવર્ધન અને પાલ શાસકોનું સંરક્ષણ પણ મળ્યું. ભારતના વિવિધ પ્રદેશોમાંથી જ નહીં પરંતુ કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, પર્શિયા અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ અહીં શિક્ષણ મેળવવા આવતા હતા.
આ વિશ્વવિદ્યાલયની નવમી સદીથી બારમી સદી સુધી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હતી. આયોજનબદ્ધ રીતે અને વિશાળ વિસ્તારમાં બનેલી આ વિશ્વવિદ્યાલય સ્થાપત્યનો અદભૂત નમૂનો હતી. તેનું સમગ્ર સંકુલ વિશાળ દિવાલથી ઘેરાયેલું હતું. જેમાં પ્રવેશ માટે મુખ્ય દરવાજો હતો. ઉત્તરથી દક્ષિણમાં મઠોની હરોળ હતી અને તેમની સામે ઘણા ભવ્ય સ્તૂપો અને મંદિરો હતા. મંદિરોમાં ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. કેન્દ્રીય વિદ્યાલયમાં સાત મોટા રૂમ હતા અને વધુમાં ત્રણસો અન્ય રૂમ હતા.

અહીં વ્યાખ્યાનો યોજાયા હતા. અત્યાર સુધી માત્ર તેર મઠોમાં જ ખોદકામ કરવામાં આવ્યું છે. આનાથી વધુ આશ્રમો હોવાની સંભાવનાઓ છે. આશ્રમોમાં એકથી વધુ માળ હતા. સૂવા માટે રૂમમાં પથ્થરની ચોકી હતી. દીવા, પુસ્તકો વગેરે રાખવા માટે ખાસ જગ્યા છે. દરેક આશ્રમના આંગણામાં એક કૂવો હતો. આઠ વિશાળ ઇમારતો, દસ મંદિરો, ઘણા પ્રાર્થનાકક્ષ અને અભ્યાસખંડ સિવાય સંકુલમાં સુંદર બગીચા અને તળાવો પણ હતાં. નાલંદામાં સેંકડો વિદ્યાર્થીઓ અને આચાર્યોના અભ્યાસ માટે નવ માળનું વિશાળ પુસ્તકાલય હતું. જેમાં લાખો પુસ્તકો હતાં.

શું તમને ખબર છે ડોક્ટર ઓપરેશન વખતે લીલા કપડાં કેમ પહેરે છે? જાણો અહીં

2.  તક્ષશિલા વિશ્વવિદ્યાલય 

તક્ષશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના લગભગ 2700 વર્ષ પહેલા થઈ હતી. આ વિશ્વવિદ્યાલયમાં આશરે 10500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આમાંના ઘણા વિદ્યાર્થીઓ વિવિધ દેશોના હતા. ત્યાંની શિસ્ત ખૂબ કડક હતી. રાજાઓના પુત્રો પણ જો કોઈ ભૂલ કરે તો તેમને મારવામાં આવતા હતા. તક્ષશિલા રાજનીતિ અને શસ્ત્રવિદ્યાના શિક્ષણનું વિશ્વકક્ષાનું કેન્દ્ર હતું. એક શસ્ત્ર વિદ્યાલયમાં વિવિધ રાજ્યોના 103 રાજકુમારો અભ્યાસ કરતા હતા.

તેમાં આયુર્વેદ અને ન્યાયશાસ્ત્રની વિશેષ શાળાઓ હતી. કોસલરાજ પ્રસેનજિત, મલ્લ સરદાર બંધુલ, લિચ્છવી મહાલી, શલ્યક જીવક અને લૂંટેરે અંગુલીમાલ જેવા લોકો ઉપરાંત ચાણક્ય અને પાણિની આ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ હતા. કેટલાક ઇતિહાસકારોએ ધ્યાન દોર્યું છે કે તક્ષશિલા વિશ્વવિદ્યાલય, નાલંદા વિશ્વવિદ્યાલય જેટલી ભવ્ય નહોતી. તેમાં જુદી-જુદી નાની ગુરુકુલ હતી. આ ગુરુકુલોમાં, વિવિધ વિષયોના શિક્ષકો વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે શિક્ષણ આપતા હતા.

3. વિક્રમશીલા વિશ્વવિદ્યાલય

વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના પાલ વંશના રાજા ધર્મ પાલે કરી હતી. 8મી સદીથી 12મી સદીના અંત સુધી આ વિશ્વવિદ્યાલય ભારતના મુખ્ય શિક્ષણ કેન્દ્રોમાંનું એક હતું. ભારતના હાલના નકશા મુજબ, આ વિશ્વવિદ્યાલય બિહારના ભાગલપુર શહેરની આસપાસ હોવી જોઈએ.
કહેવાય છે કે તે સમયે તે નાલંદા વિશ્વવિદ્યાલયની સૌથી મોટી પ્રતિસ્પર્ધક હતી. 1000 વિદ્યાર્થીઓ માટે લગભગ 100 શિક્ષકો હતા. આ વિશ્વવિદ્યાલય તંત્રશાસ્ત્રના અભ્યાસ માટે જાણીતી હતી. આ વિષયનો સૌથી પ્રખ્યાત વિદ્યાર્થી અતીસા દીપનકરા હતો, જે પાછળથી તિબેટ ગયો અને બૌદ્ધ બન્યો.

4. વલ્લભી વિશ્વવિદ્યાલય

સ વલ્લભી વિશ્વવિદ્યાલય સૌરાષ્ટ્ર (ગુજરાત)માં સ્થિત હતી. 6ઠ્ઠી સદીથી 12મી સદી સુધી તેની ખ્યાતિ લગભગ 600 વર્ષ સુધી તેની ટોચ પર હતી. ચીની પ્રવાસી ઈત-સિંગે લખ્યું છે કે આ વિશ્વવિદ્યાલય 7 મી સદીમાં ગુણામતી અને સ્થિરમતી નામના શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું. આ વિશ્વવિદ્યાલય બિનસાંપ્રદાયિક વિષયોના શિક્ષણ માટે પણ જાણીતું હતું. આ જ કારણ હતું કે વિશ્વભરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આ શિક્ષણ કેન્દ્રમાં આવતા હતા.

5.  ઉદાંતપુરી વિશ્વવિદ્યાલય

 ઉદાંતપુરી વિશ્વવિદ્યાલય મગધ એટલે કે હાલના બિહારમાં સ્થાપવામાં આવી હતી. તેની સ્થાપના પાલવંશના રાજાઓએ કરી હતી. 8મી સદીના અંતથી 12મી સદી સુધી લગભગ 400 વર્ષ સુધી તેનો વિકાસ તેની ટોચ પર હતો.  ઉદાંતપુરી વિશ્વવિદ્યાલયમાં લગભગ 12000 વિદ્યાર્થીઓ હતા.

6. સોમપુરા વિશ્વવિદ્યાલય

સોમપુરા વિશ્વવિદ્યાલયની સ્થાપના પણ પાલ વંશના રાજાઓએ કરી હતી. તે સોમપુરા મહાવિહાર તરીકે ઓળખાતું હતું. આ વિશ્વવિદ્યાલય 8મી સદીથી 12મી સદી વચ્ચે 400 વર્ષ માટે ખૂબ જ પ્રખ્યાત હતી. આ વિશ્વવિદ્યાલય આશરે 27 એકરમાં ફેલાયેલી હતી. તે સમયે તે સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપતું શ્રેષ્ઠ શિક્ષણ કેન્દ્ર હતું.

ઇ-બાઈક ભૂલી જાવ ઇ-સાઈકલ શરૂ થઈ. પાંચ કિલોમીટરનો ફક્ત 30 પૈસા ટ્રાવેલિંગ કોસ્ટ; જાણો વિગત

7.  પુષ્પગિરિ વિશ્વવિદ્યાલય

 પુષ્પગિરિ વિશ્વવિદ્યાલય હાલના ઓરિસ્સામાં સ્થિત હતું. તેની સ્થાપના કલિંગ રાજાઓએ ત્રીજી સદીમાં કરી હતી. આ વિશ્વવિદ્યાલયનો વિકાસ આગામી 800 વર્ષ એટલે કે 11મી સદી સુધી તેની ટોચ પર હતો. આ વિશ્વવિદ્યાલયનું કેમ્પસ ત્રણ પર્વતો લલિતગીરી, રત્નાગીરી અને ઉદયગીરી પર ફેલાયેલું હતું.

આ યુનિવર્સિટી નાલંદા, તક્ષશિલા અને વિક્રમશીલા પછી શિક્ષણનું સૌથી મહત્વનું કેન્દ્ર હતું. ચીની પ્રવાસી એક્જ્યુન ઝેંગે તેને બૌદ્ધ શિક્ષણનું સૌથી જૂનું કેન્દ્ર માન્યું. કેટલાક ઇતિહાસકારો માને છે કે આ વિશ્વવિદ્યાલયની સ્થાપના રાજા અશોકે કરી હતી.

આ વિશ્વવિદ્યાલયો સિવાય પ્રાચીન ભારતમાં અન્ય પણ વિશ્વવિદ્યાલયો હતાં. તેમની શિક્ષણ વ્યવસ્થા પણ આ વિશ્વવિદ્યાલયોથી પ્રભાવિત હતી. ઇતિહાસમાં મળેલા વર્ણન મુજબ, શિક્ષણ અને શિક્ષણ કેન્દ્રોની સ્થાપના માટે સૌથી વધુ પ્રોત્સાહન પાલ વંશના શાસકોએ આપ્યું હતું.

8. જગદાદાલા, પશ્ચિમ બંગાળ(પાલ રાજાઓના સમયથી ભારતમાં અરબોના આગમન સુધી.

9. નાગાર્જુનાકોંડા, આંધ્રપ્રદેશ.

10. વારાણસી, ઉત્તરપ્રદેશ(આઠમી સદીથી આધુનિક સમયગાળો.

11. કાંચીપુરમ, તમિલનાડુ.

12. મણિખેત, કર્ણાટક.

13. શારદાપીઠ, કાશ્મીર.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More