News Continuous Bureau | Mumbai
આપણે ઘણીવાર આપણી આસપાસની વસ્તુઓમાંથી સૌથી વધુ લાભ મેળવવા વિશે વિચારીએ છીએ. ખાસ કરીને જ્યારે વજન ઘટાડવાની(weight loss)વાત આવે છે ત્યારે આપનો પ્રયાસ હોય છે કે આહારમાં તે વસ્તુઓનો સમાવેશ કરીએ જેમાં હાજર પોષક તત્વો શરીરની ચરબી ઘટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે. આવી જ એક અદ્ભુત વસ્તુ અંકુરિત ઘઉંના છોડનું ઘાસ (wheatgrass)છે. તમને જણાવી દઈએ કે ઘઉંના છોડનું ઘાસ અંકુરિત ઘઉંમાંથી નીકળે છે અને તેને ઘઉંના જવારા પણ કહી શકાય. આ ઘઉંના જવારામાં એમિનો એસિડ, વિટામિન, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે લોકો ગ્લુટેન ફ્રી (glutan free)વસ્તુઓનું સેવન કરે છે તેઓ ખાસ કરીને તેને ખાઈ શકે છે. આવો જાણીએ વજન ઘટાડવાની સાથે સાથે ઘઉંના જવારા નું સેવન કરવાથી શું ફાયદા થાય છે.
1. વજનમાં ઘટાડો
ઘણા અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે વજન ઘટાડવા(weight loss) માટે ઘઉં ના જવારા( વ્હીટગ્રાસ) પણ ખાઈ શકાય છે. એટલું જ નહીં તેની અસર શરીર પર ઝડપથી થાય છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે અને શરીરને એનર્જી પણ આપે છે. ઘઉં ના જવારા ને ગરમ પાણીમાં પીસીને સવારે ખાલી પેટે પીણાની જેમ પીવાથી ફાયદો થાય છે. આ પીણું પીધા પછી શરીર લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેનાથી ખાવાનું ઓછું થાય છે.
2.પાચન સારું થાય છે
એન્ઝાઇમની વધુ માત્રાને કારણે, પાચનને સરળ બનાવવાની સાથે, તે શરીરને પોષક તત્વોને યોગ્ય રીતે શોષવામાં મદદ કરે છે. જેના કારણે પાચનક્રિયા અનેક ગણી સારી રીતે કરી શકાય છે. ઘઉં ના જવારા (wheatgrass) શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદરૂપ છે, જે ગેસ, પેટ ફૂલવું અને પેટની ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.
3. રોગપ્રતિકારક શક્તિ
ઘઉં ના જવારા શરીરની રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવામાં પણ અસરકારક છે. આનાથી ઘણા પ્રકારના ઈન્ફેક્શન અને નાની-મોટી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.
4. વાળનો માસ્ક
સ્વાસ્થ્ય લાભો ઉપરાંત, ઘઉં ના જવારા ત્વચા અને વાળની સંભાળમાં(hair care) પણ સારા સાબિત થાય છે. વાળને મજબૂત કરવા માટે ઘઉં ના જવારા નો માસ્ક બનાવી શકાય છે. આ માટે ઘઉં ના જવારા ને ધોઈને પીસીને વાળમાં 15 થી 20 મિનિટ સુધી રાખો.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- મહિલાઓ માટે સુપર ફૂડ છે ચિયા સીડ્સ-જાણો તેના ફાયદા વિશે