બ્યૂટી ટિપ્સ: વાળ ને જાડા અને સ્વસ્થ રાખવા અજમાવી જુઓ આ જડીબુટ્ટીઓ; જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

શુક્રવાર

આજકાલ ખરાબ જીવનશૈલી અને વધતા પ્રદૂષણને કારણે વાળની ​​સમસ્યા વધી રહી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ પણ કારણ વગર આપણા વાળ પાતળા થઈ રહ્યા છે અને નબળા થઈ રહ્યા છે અને પછી ખરી રહ્યા છે. જેના કારણે તેમનું વોલ્યુમ ઘટી જાય છે અને વાળ જાડા દેખાતા નથી. આયુર્વેદમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ છે જેનું નિયમિત સેવન વાળને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે.વાસ્તવમાં, આ જડીબુટ્ટીઓમાં આયુર્વેદિક ગુણધર્મો છે જે શરીરમાં પિત્ત દોષોને સંતુલિત કરે છે, રક્ત પરિભ્રમણને સુધારે છે. જેના કારણે તે વાળને ઘટ્ટ બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.

1. ભૃંગરાજ અને બ્રાહ્મી:

ભૃંગરાજ અને બ્રાહ્મી બે એવી જડીબુટ્ટીઓ છે જે વાળને ઘટ્ટ બનાવવામાં મદદરૂપ છે. ભૃંગરાજના પાન ચાવવાથી તેનો અર્ક મૂળને પોષણ આપે છે અને વાળને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે.તમે પાઉડર બનાવીને પણ તેનો ઉપયોગ વાળ માટે કરી શકો છો. સવારે અને સાંજે એક-એક ચમચી લો. બ્રાહ્મી વાળમાં રક્ષણાત્મક સ્તર બનાવવામાં મદદ કરે છે. તે વાળને ચમકદાર રાખવામાં મદદ કરે છે. તણાવને કારણે ખરતા વાળ માટે બ્રાહ્મી ખૂબ જ અસરકારક છે.

2. એલોવેરા:

એલોવેરા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા જેલ સ્કાલ્પ  ઉપરની ચામડીના પીએચ સંતુલનને સુધારે છે, જે વાળના વિકાસ માટે વધુ સારી રીતે ઉપયોગી છે. તે તમારા વાળને ભેજયુક્ત અને હાઇડ્રેટ કરે છે.તમે તેના જેલને સીધું  માથાની ચામડી પર પણ લગાવી શકો છો. શ્રેષ્ઠ પરિણામો માટે, તેને તમારા સ્કાલ્પ  ઉપરની ચામડી પર લાગુ કરો અને તેની માલિશ કરો. કુંવારપાઠાની એક ખાસ વિશેષતા એ છે કે તે એન્ટીબેક્ટેરિયલ છે અને મોસમી સ્કાલ્પ  ઉપરની ચામડીના ચેપને રોકવામાં મદદરૂપ છે અને તેનો સતત ઉપયોગ વાળના જથ્થાને સુધારવામાં મદદ કરે છે.

3. જટામાંસી:

જટામાંસીમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે માથાની ચામડીની બળતરા ઘટાડે છે અને તેને ચેપથી બચાવે છે. જટામાંસીનું પાણી નિયમિત પીવાથી વાળ તૂટતા નથી અને મુલાયમ અને લાંબા રહે છે. જો તમે જટામાંસીને પીસીને તેનો પાઉડર બનાવીને દરરોજ થોડું થોડું સેવન કરો તો તે નવા વાળના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.

4. અશ્વગંધા:

અશ્વગંધામાં ટાયરોસિન નામનું એમિનો એસિડ હોય છે જે વાળને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. તે વાળને સફેદ થતા અટકાવે છે અને મેલાનિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.તેનું સેવન કરવાથી વાળ મૂળથી મજબૂત બને છે અને નવા વાળના વિકાસને પણ પ્રોત્સાહન મળે છે. વાળને ઘટ્ટ બનાવવા માટે અશ્વગંધાનાં મૂળ ઉકાળીને તેનું પાણી પીવું અથવા તેના પાઉડરનું ગરમ ​​પાણી સાથે સેવન કરવું.

5. આમળા અને ત્રિફળા:

આમળા અને ત્રિફળાનું મિશ્રણ હંમેશા વાળને ઘટ્ટ બનાવવામાં મદદરૂપ રહ્યું છે. આમળામાં વિટામિન સી હોય છે જે વાળને મૂળથી સ્વસ્થ રાખે છે. ત્રિફળાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ બરાબર રહે છે, જેના કારણે તમારા વાળ લાંબા સમય સુધી સુંદર રહે છે.

6. મેથી:

મેથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે આ પાણી પીશો તો તેનાથી તમારા વાળ સ્વસ્થ અને ઘટ્ટ થશે. તમે હેર પેક બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

બ્યૂટી ટિપ્સ: જાણો ફેશિયલ અને ક્લિનઅપમાં શું છે તફાવત, અને તેના ફાયદા વિશે

 

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More