211
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાના લોકોના સપનાને વિરામ લાગી જવાનો છે. ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કદાચિત પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની હજી કોઈ ડેડલાઇન નક્કી થઈ શકી નથી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબ થવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન છે. એટલું જ નહીં, પણ નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડને બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કોઈ બીડર પણ મળ્યો નથી.
હાલમાં રેલવે બોર્ડના ચૅરમૅન અને CEO સુનીત શર્માએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ કહેવું અશક્ય છે. ગુજરાતમાં 95 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે. સ્ટેશન બાંધવા માટે બીડર પણ મળ્યો નથી.
You Might Be Interested In