મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પ્રદૂષણ અટકાવવા નવો કીમિયો, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ કરી આ મોટી જાહેરાત; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર. 

મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોને કારણે થતા પ્રદૂષણને રોકવા માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના પર્યાવરણ મંત્રાલયે લીધેલા નિર્ણય મુજબ રાજ્યમાં તમામ સરકારી વાહનો ઇલેક્ટ્રિક હશે. આ નિર્ણય પહેલી એપ્રિલથી લાગુ કરવામાં આવશે. 
રાજ્ય સરકારે અગાઉ જ તમામ સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં પરાવર્તિ કરવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય પહેલી એપ્રિલ, 2022થી લાગુ થવાનો હતો. જોકે હવે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ જાહેરાત કરી છે કે પહેલી એપ્રિલને બદલે હવે આ નિર્ણય પહેલી જાન્યુઆરી, 2022થી અમલમા આવશે. 

આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પર્યાવરણ મંત્રી ઠાકરેએ કહ્યું છે કે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઇલેક્ટ્રિક વાહનો અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. 

ભાજપના ધારાસભ્યનું થયું નિધન. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર પડશે. જાણો વિગત.

મુંબઈમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઉપલબ્ધ કરવામાં આવવાના છે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી ત્રણ સ્થળોએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. હુતાત્મા ચોક પેઇડ પાર્કિંગ, કાલાઘોડા ચોક પેઇડ પાર્કિંગ અને રેમ્પાર્ટ માર્ગ ફૂટપાથ પેઇડ પાર્કિંગ પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. ત્રણેય સ્થળોએ પ્રથમ 3 મહિના માટે મફત ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ હશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More