રેલવે યાત્રીઓ માટે મોટા સમાચાર, પશ્ચિમ રેલવેમાં રવિવારે વાણગાંવ-દહાણુ રોડ વચ્ચે મેજર બ્લોક, મુંબઈ-અમદાવાદ સહિત ઉત્તર ભારત ટ્રેનોને થશે મોટી અસર. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવેમાં(Western railway) રવિવાર આઠમી મેના વાણગાંવ(Vangaon) અને દહાણુ રોડ(dahanu road) વચ્ચે મેજર બ્લોક (Major block)હાથ ધરવામાં આવવાનો છે. તેથી મુંબઈથી ગુજરાત(Mumbai to gujarat) વચ્ચે પ્રવાસ કરનાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. આ બ્લોકને કારણે ગુજરાત સહિત ઉત્તર ભારત(North mumbai) વચ્ચેની અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. અનેક ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છે. 

પશ્ચિમ રેલવેમાં વાનગાંવ અને દહાણુ રોડ વચ્ચે બ્રિજ નંબર 166 અને 169ને કાયમી ધોરણે ડાઈવર્ઝનનું કામ કરવામાં આવવાનું છે. તેથી રવિવારે ડાઉન લાઈનમાં સવારના 6.30 વાગ્યાથી બપોરના 2.30 વાગ્યા સુધીનો આઠ કલાકનો મેડર તથા અપ મેઈન લાઈન(main line) માં સવારના 8.15 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી એક કલાકનો બ્લોક રહેશે. તેને કારણે રવિવારે લાંબા અંતરથી 12થી વધુ ટ્રેન રદ થશે. જ્યારે 32 જેટલી ટ્રેનને શોર્ટ ટર્મિનેટ(short terminate) કરવામાં આવશે. તો 18 ટ્રેનનું શેડ્યુલ ખોરવાઈ જશે.

મુખ્યત્વે મુંબઈ સેન્ટ્રલ(Mumbai central)-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ(19015), બાંદ્રા-ટર્મિનસ(Bandra terminus)-સુરત એક્સપ્રેસ(Surat express)(12935) તથા નવમી મેના પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પણ રદ થશે. 

એ સિવાય 32 જેટલી ટ્રેનોને આંશિક રીતે રદ તથા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. રવિવારે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ(22953), મુંબઈ સેન્ટ્રલ અને ઉમરગાંવ રોડ વચ્ચે રદ રહેશે. જ્યારે ટ્રેનને ઉમરગામથી રવાના કરાશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ વિસ્તારમાં સ્થિત LIC ઓફિસમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે; જુઓ વિડીયો, જાણો વિગતે

વિરાર- વલસાડ મેમુ(09143),  બાંદ્રા ટર્મિનસ – વાપી મેમુ (09159), ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ(93007), ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ, સુરત – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, દહાણુ રોડ – બોરીવલી મેમુ,  વાપી – વિરાર મેમુ(09144), દહાણુ રોડ – દાદર લોકલ, 93028 દહાણુ રોડ – વિરાર લોકલ રદ થશે.

8મીના આંશિક રીતે રદ કરાયેલી અને ટર્મિનટ કરવામાં આવેલી ટ્રેનો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 22921 બાંદ્રા ટર્મિનસ – ગોરખપુર અંત્યોદય એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને વાપી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપીથી ઉપડશે.

2. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને ઉમ્બરગામ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ઉમરગામ રોડથી ઉપડશે.

3. ટ્રેન નંબર 22929 દહાણુ રોડ – વડોદરા એક્સપ્રેસ દહાણુ રોડ અને ભીલાડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ભીલાડથી ઉપડશે.

4. ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ – જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ અને સુરત વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને સુરતથી ઉપડશે

5. ટ્રેન નંબર 12933 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અને વાપી વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને વાપીથી ઉપડશે

6. ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ મેમુ બોરીવલી અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને તેથી તે દહાણુ રોડ અને વલસાડ વચ્ચે દોડશે.

7. ટ્રેન નંબર 01338 ડોમ્બિવલી – બોઈસર મેમુ પાલધર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી પાલઘર અને બોઈસર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

8. ટ્રેન નંબર 93003 વિરાર – દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

9. ટ્રેન નંબર 93005 ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

10. ટ્રેન નં. 93009 અંધેરી – દહાણુ રોડ લોકલ વાણગાંવ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

11. ટ્રેન નંબર 93011 ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

12. ટ્રેન નંબર 93013 ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

13. ટ્રેન નંબર 93017 ચર્ચગેટ – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

14. ટ્રેન નંબર 93019 વિરાર – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

15. ટ્રેન નંબર 93021 વિરાર – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

16. ટ્રેન નંબર 93023 વિરાર – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

17. ટ્રેન નંબર 93025 વિરાર – દહાણુ રોડ લોકલ બોઈસર ખાતે ટૂંકી હશે અને તેથી બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

18. ટ્રેન નં. 22930 વડોદરા-દહાણુ રોડ એક્સપ્રેસ ભીલાડ ખાતે ટૂંકી ઉપડશે અને તેથી ભીલાડ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

19. ટ્રેન નંબર 12479 જોધપુર – બાંદ્રા ટર્મિનસ સૂર્ય નગરી એક્સપ્રેસ, 7મી મે, 2022ના રોજ શરૂ થનારી મુસાફરી સુરત ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી સુરત અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

20. ટ્રેન નંબર 12934 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ વાપી ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વાપી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

21. ટ્રેન નંબર 19002 સુરત – વિરાર એક્સપ્રેસ વલસાડ ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને તેથી વલસાડ અને વિરાર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

22. ટ્રેન નંબર 01337 બોઈસર – વસઈ રોડ MEMU બોઈસર અને પાલઘર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને પાલઘરથી ઉપડશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More