ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021
શનિવાર
અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમા લોકોના એકત્રિત થવા પર લગાવાયેલી પાબંદી જારી છે.
અધિકારીઓએ જણાવ્યું કે અહીં હૈદરપુરા વિસ્તારમાં ગિલાનીના આવાસ સુધી જનારા માર્ગ બંધ છે અને લોકોની અવરજવર રોકવા માટે અવરોધક લગાવાયા છે.
કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે મોટી સંખ્યામાં સેનાને પણ તૈનાત કરવામાં આવી છે.
ઈન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ ટેલિફોન સેવાઓને બે દિવસ સુધી બંધ રાખ્યા બાદ શુક્રવારે રાતે ફરી શરૂ કરવામાં હતી. જોકે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને શનિવારે સવારે ફરીથી બંધ કરી દેવાઈ છે.
ઉલેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણ દાયકાથી વધારે સમય સુધી અલગતાવાદી અભિયાનનું નેતૃત્વ કરનાર અને પાકિસ્તાન સમર્થક અલગાવવાદી નેતાને તેમના આવાસ નજીક એક મસ્જિદમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા.