શું કેપ્ટન અમરિંદર સિંહ ને દિલ્હીમાં આ મંત્રાલય મળશે? અમિત શાહને મળ્યા બાદ અટકળો તેજ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021 

ગુરુવાર

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી પહેલી વખત દિલ્હી આવેલા કેપ્ટન અમરિંદર સિંહે બુધવારે સાંજે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 

આ બેઠક સાથે જ કેપ્ટન અપમાનનો બદલો લેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડયું છે.  

જોકે, અમરિંદર સિંહે આ મુદ્દે કોઈ જાહેરાત કરી નથી.

અમિત શાહ અને અમરિન્દર સિંહ વચ્ચે લગભગ 45 મિનિટ સુધી બેઠક ચાલી હતી. અમરિંદર સિંહે ટ્વીટ કરીને જણાવ્યું કે તેમણે ગૃહમંત્રી શાહ સાથે કૃષિ કાયદા પરત લેવા, પંજાબમાં આંતરિક સલામતી મુદ્દે ચર્ચા કરી હતી.

પંજાબમાં આગામી વર્ષના પ્રારંભમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમિરન્દર સિંહ ભાવી યોજનાઓ અંગે શું નિર્ણય લે છે તે ચર્ચાનો વિષય બન્યા છે. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More