ચોમાસું સત્રને લાગ્યું કોરોના ગ્રહણ, મહારાષ્ટ્રમાં માત્ર બે દિવસ યોજાશે ચોમાસું સત્ર ; આ મુદ્દાઓ પર થશે ચર્ચા 

by Dr. Mayur Parikh

મુંબઈમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 5 અને 6 જુલાઇએ યોજાનાર છે.

બે દિવસ ચોમાસુ સત્ર યોજવાનો નિર્ણય કોરોના સંકટને પગલે લેવામાં આવ્યો હોવાનું મંત્રી અનિલ પરબએ જણાવ્યું હતું. 

સત્રમાં ભાગ લેવા માટે વિધાન ભવનમાં પ્રવેશતા તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ માટે આરટી-પીસીઆર કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  

આ માટે વિધાન ભવન મુંબઇ ખાતે 3 અને 4 જુલાઈ, 2021 ના ​​રોજ આરટી-પીસીઆર કોરોના પરીક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

જોકે હાલ મરાઠા અનામતને કારણે રાજ્યનું વાતાવરણ ગરમ છે. સંભાજી રાજે સહિત ભાજપના નેતાઓ પણ અનામતને લઈને આક્રમક બન્યા છે. તેથી સંમેલનમાં મરાઠા અનામતનો મુદ્દો ઉભો થાય તેવી સંભાવના છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More