255
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ઝારખંડમાં નક્સલીઓએ ફરી એકવાર ગીરીડિહ પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવી દીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 00:34 કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે.
આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે.
રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા છે.
You Might Be Interested In