Sunday, June 4, 2023

Gujarat Politics : આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલને મળ્યા. આ ધારાસભ્યો શું હવે ભાજપમાં પ્રવેશ કરશે?

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે ગુજરાત સરકારના પણ વખાણ કર્યા હતા. ત્યારબાદ એવી ચર્ચા વહેતી થઈ હતી કે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરી લેશે.

by AdminM
AAP 5 MLA from gujarat meet Arvind Kejriwal

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ( gujarat ) આમ આદમી પાર્ટીએ ( AAP ) પોતાનું ખાતું ખોલાવ્યું છે. અહીં 8 ડિસેમ્બરે આવેલ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), હેમંત ખાવા (જામજોધપુર), સુધીર વાઘાણી (ગારિયાધાર) અને ચેતર વસાવા (દેડિયાપાડા)ને જીત હાંસલ થઈ હતી.

જોકે આ જીત મળ્યા પછી ભુપત ભાયાણી નામ ના ધારાસભ્ય ( MLA  ) ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ અટકળોનું બજાર ગરમ થયું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ભાજપમાં જોડાઇ જશે. ત્યારે આ તમામ ધારાસભ્યોએ દિલ્હી ખાતે પાર્ટીના અધ્યક્ષ તેમ જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ( Arvind Kejriwal ) મુલાકાત ( meet ) કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી એ આ સંદર્ભે ની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી હતી.

આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું

હવે પ્રશ્ન એ પેદા થાય છે કે શું આ ધારા સભ્યો ભાજપમાં પ્રવેશ કરશે?

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous