દિલ્હી સીએમ કેજરીવાલે પબ્લિક વોટિંગના પરિણામ જાહેર કર્યા, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAP તરફથી મુખ્યમંત્રીના ચહેરા તરીકે આ ઉમેદવારના નામ પર લાગી મહોર; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

પંજાબમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે.  

આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. 

અરવિંદ કેજરીવાલે પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ભગવંત માનના નામ પર મહોર લગાવી છે. 

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભગવંત માન મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

21 લાખથી વધુ લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, જેમાં 93 ટકા લોકોએ ભગવંત માનની તરફેણમાં મતદાન કર્યું છે.

ઉલ્લેખનીય છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા માટે પણ વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેના આધારે જ મુખ્યમંત્રી પદના ઉમેદવારની ઘોષણા કરવામાં આવી છે. 

પંજાબ ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી, CM ચન્નીના ભત્રીજાના ઠેકાણાઓ પર ED ના દરોડા; આ મોટા આક્ષેપો હેઠળ કાર્યવાહી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More