News Continuous Bureau | Mumbai
ભાગલપુર જિલ્લામાં ગંગા પર બની રહેલા પુલના તુટી જવાના મામલામાં રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરતા એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કરી દીધો છે અને બાંધકામ કરનાર એજન્સીને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આ સાથે એજન્સીને ગંગામાં પડેલા પુલનો કાટમાળ 15 દિવસમાં હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બિહાર સ્ટેટ પોલીસ કન્સ્ટ્રક્શન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર નીરજ સક્સેનાને કારણ બતાવો નોટિસ પણ જારી કરી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે પુલ કેવી રીતે તૂટી પડ્યો? ફરીથી આ ઘટના કેવી રીતે ઘટી?
રવિવારે પડી ગયો હતો પુલ
ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ અને અગુવાની ઘાટને જોડતો પુલ રવિવારે તૂટી પડ્યો હતો. ગત વર્ષે પણ આ પુલનો એક ભાગ પવનના તોફાનને કારણે ધરાશાયી થઈ ગયો હતો. પુલ ફરીથી ધરાશાયી થયા બાદ એક્શનમાં આવેલી બિહાર સરકારે બાંધકામ એજન્સી એસપી સિંગલાને કારણ બતાવો નોટિસ ફટકારી છે.
આ સમાચાર પણ વાંચો: ફેંગશુઈની આ એવિલ આઈ દૂર કરે છે લાગેલી ખરાબ નજર, આ રીતે કરો ઉપયોગ
ખાગરીયાના કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ
ખાગરીયાના કાર્યપાલક ઈજનેર યોગેન્દ્ર કુમારને પુલના બાંધકામની દેખરેખમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પટના હાઈકોર્ટમાં વકીલ વતી એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં સ્વતંત્ર એજન્સી દ્વારા આ મામલાની તપાસ કરવા અને બ્રિજ બનાવનાર કંપનીને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.