News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રની રાજનીતિ સાથે સંકળાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીનદર સિંહ મહારાષ્ટ્રના નવા ગવર્નર બની શકે છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના મોજુદા ગવર્નર ભગતસિંહ કોશિયારીએ પોતાનું રાજીનામું ધરી દીધું હતું. ત્યારથી એવી અટકણો વહેતી થઈ હતી કે તેઓને પદ પરથી છૂટા કરવામાં આવશે. હવે જે સમાચાર આવ્યા છે તે મુજબ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરીનદર સિંહ ( Captain Amarinder Singh ) મહારાષ્ટ્રના નવા ગવર્નર ( Maharashtra Governor ) બનશે.